________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૮]
[ વીતરાગવિજ્ઞાન ભાગ-૩ છતાં શાંત પરિણામવાળો જીવ દુઃખી થતો નથી. અંદર જેટલા મિથ્યાત્વાદિ કષાયભાવો છે તેટલું જ જીવને દુઃખ છે, ને સમ્યકત્વાદિ નિરાકુળભાવ તે જ સુખ છે. આત્માનો આનંદસ્વભાવ છે તેને ઓળખીને અનુભવ કરે તો જ જીવને સાચું સુખ ને આનંદ થાય છે, તેને જ આસ્રવ-બંધ ટળે છે ને સંવર-નિર્જરા થાય છે. કર્મ આવવાના કારણરૂપ મિથ્યાત્વાદિ ભાવોને જ્યાં સુધી જીવ ન છોડ, તેના કોઈ પણ અંશને (શુભરાગને પણ) ભલો જાણે, ત્યાં સુખી જીવને સંવર-નિર્જરા થાય નહીં. પૈસા આવે કે જાય તેને કારણે જીવને સુખ-દુ:ખ નથી. છોકરો જન્મ કે મરે તેને કારણે જીવને સુખ-દુઃખ નથી. શરીર નીરોગ છે કે રોગી, તેને કારણે જીવને સુખ-દુઃખ નથી.
અરે જીવ ! તારો આનંદસ્વભાવ છે તેનું ભાન કરતાં તું સુખી છો, ને તેને ભૂલ્ય તું દુઃખી છો. અરે ભાઈ ! તું દુઃખી તારી ભૂલથી, ને વાંક કાઢ બીજાનો, -તો તારું દુઃખ ને તારી ભૂલ ક્યાંથી છૂટશે? તારી ભૂલ, તેમ જ ભૂલ વગરનો જ્ઞાનસ્વભાવ, તે બંનેનો સ્વીકાર કરતાં જ સ્વભાવના આશ્રયે ભૂલ ટળીને નિર્દોષતા થશે, એટલે સુખ થશે.
અનાદિથી અજ્ઞાનીને દેહબુદ્ધિનો ને પરાશ્રયનો એવો રંગ ચઢયો છે કે પોતાના સમ્યકત્વાદિ ગુણને માટે પણ તે પરનો આશ્રય માને છે ને પોતાના દોષ પણ બીજાને માથે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com