________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૪]
[ વીતરાગવિજ્ઞાન ભાગ-૩ જ્ઞાન અને તેનું કથન એ ત્રણેનો મેળ છે; તેને ઓળખતાં સાચી શ્રદ્ધા થાય છે. જીવને સર્વજ્ઞનું ખરું સ્વરૂપ ત્યારે જ ઓળખાય છે કે જ્યારે તે તેમના જેવા પોતાના આત્માની સ્વસમ્મુખ થઈને નિશ્ચય સમ્યગ્દર્શન પ્રગટ કરે. જ્ઞાનસ્વભાવી આત્માને અનુભવ્યા વગર કોઈ એમ કહે કે મેં સર્વશને ઓળખ્યા, તો તે યથાર્થ નથી; કેમકે આત્માની ઓળખાણ પૂર્વક જ સર્વશની ઓળખાણ થાય છે. જ્ઞાનની શક્તિ એટલી મહાન છે કે ત્રણકાળની પર્યાય સહિત સમસ્ત પદાર્થોને એક સાથે જ્ઞાનનું નિમિત્ત બનાવે છે, કોઈ શેય બાકી રહેતું નથી. જો જાણવામાં કોઈ શંય બાકી રહી જાય તો જ્ઞાન અધૂરું રહી જાય, તેને સર્વજ્ઞ કોણ કહે ?
જેનાથી જીવને દુઃખ થાય છે એવા આસ્રવ તથા બંધને કદી ભલા ન જાણો, તેને છોડીને સમ્યગ્દર્શનાદિમાં વર્તા, એવો ઉપદેશ છે. જીવના અસંખ્ય પ્રદેશો ચંચળ બને એટલે કે યોગનું કંપન થાય, ત્યારે મન-વચન કે કાયા જે નિમિત્ત હોય તેવા પ્રકારનો યોગ કહેવાય છે, અને તેનાથી કર્મો આવે છે, તથા મિથ્યાત્વ-કષાયાદિ મલિન ભાવો વડે તે કર્મમાં સ્થિતિ-અનુભાગરૂપ બંધન થાય છે. સમ્યગ્દષ્ટિજીવને મિથ્યાત્વજનિત આસવ-બંધ નથી પણ હજી અવ્રતાદિ છે તેટલા આસ્રવ-બંધ છે, પણ તેને તે દુઃખરૂપ જાણીને, સ્વભાવથી વિપરીત જાણીને, હેય સમજે છે. આત્માનો જ્ઞાનસ્વભાવ આસ્રવ અને બંધ વગરનો છે, તેને જ તે ઉપાદેય સમજે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com