________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
વીતરાગવિજ્ઞાન ભાગ-૩]
[ ૧૦૩ પોતે પોતાને જાણે અને બધા પદાર્થોને પણ જાણે એવી તાકાત જીવમાં જ છે, બીજા કોઈમાં નથી.
પોતે પોતામાં રહે અને બધા પદાર્થોને પણ રહેવામાં નિમિત્ત થાય—એવી તાકાત (એવો સ્વભાવ) આકાશદ્રવ્યમાં જ છે, બીજા કોઈમાં નથી. (પદાર્થ રહે છે તો ક્ષેત્રમાં, આકાશક્ષેત્ર તેને નિમિત્ત છે. )
પોતે સ્વયં પરિણમે અને બધા પદાર્થોને પણ પરિણમન થવામાં નિમિત્ત થાય એવો સ્વભાવ કાળદ્રવ્યમાં જ છે, બીજા કોઈમાં નથી. (પદાર્થ પરિણમે છે તો સ્વપર્યાયથી, કાળ તેને નિમિત્ત છે.)
-એ પ્રમાણે સર્વશદેવની વાણી અનુસાર જગતના પદાર્થોનું જ્ઞાન કરવાની છબસ્થજીવની તાકાત છે. સર્વજ્ઞમાર્ગથી વિરુદ્ધ કોઈ વાતને સમ્યગ્દષ્ટિ માનતા નથી. સર્વજ્ઞવીતરાગ થયેલા આત્મા તે પરમેશ્વર છે; તે પરમેશ્વર જગતના કર્તા નથી. સ્વયંસિદ્ધ એવા આ જગતના કર્તા કોઈ ઈશ્વર નથી. ઈશ્વર જેમ જગતકર્તા નથી તેમ નિમિત્તરૂપ વસ્તુ તે બીજી વસ્તુની કર્તા નથી. જગતની જીવ અને અજીવ બધી સ્વતંત્ર વસ્તુઓ છે તે સૌ પોતપોતાની પર્યાયને કરે છે; ઈશ્વર તેના માત્ર સાક્ષી જ્ઞાતા છે, ને દરેક જીવ પણ એવા સાક્ષી-સ્વભાવી છે. –આમ ધર્મી જાણે છે.
જગતના પદાર્થો સ્વયં સત્ છે, સર્વજ્ઞ તેને સત્ જાણું છે ને વાણીમાં પણ તેમ કહ્યું છે; એ રીતે સત્ વસ્તુ, તેનું
Please inform us of any errors on rajesh@AtmaDharma.com