________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૨]
[ વીતરાગવિજ્ઞાન ભાગ-૩ દુર્ભાગ્યની શી વાત ! મોંઘો મનુષ્યભવ તત્ત્વનિર્ણય વગર તેઓ હારી જશે.
અહીં તો કહ્યું કે અનંતા દ્રવ્યો જેમાં રહેલાં છે એવા આકાશને પણ તમે પીછાણો. અહા ! જ્ઞાનની કેટલી વિશાળતા! અનંતાનંત જીવો, તેના કરતાં અનંતાનંતગુણા પુદ્ગલો, અને ધર્માસ્તિ વગેરે સૂક્ષ્મ અરૂપી દ્રવ્યો, -એ બધાય દ્રવ્યો પણ જેના અનંતમા ભાગમાં સમાઈ જાય-એવું મોટું અનંત સર્વ વ્યાપી આકાશ, તે આકાશને પણ જે પોતાના અનંતમા ભાગની શક્તિવર્ડ જાણી લે એવું મહાન જ્ઞાનસામર્થ્ય, તેનો ધારક જીવ પોતે છે. અનંત આકાશનો નિર્ણય કરવા જતાં પોતાના આવા મહાન જ્ઞાનસ્વભાવનો પણ નિર્ણય થઈ જાય છે. આવડા મોટા આકાશની, અને તેનાથી પણ મહાન જ્ઞાન-સામર્થ્યની વાત સર્વજ્ઞદેવના જૈનશાસન સિવાય બીજે ક્યાંય હોય નહિ. અને સર્વજ્ઞના ભક્ત સમ્યગ્દષ્ટિ સિવાય આવા તત્ત્વનો સાચો નિર્ણય બીજો કોઈ કરી શકે નહિ.
અહો, આત્માના હિત માટે જૈનધર્મના આવા તત્ત્વનો અભ્યાસ કરવો જોઈએ. વિધાર્થીઓ પણ રખડે કે રમે તેના કરતાં તેમને આવા વીતરાગી ભણતર શિખવવા જોઈએ, જેથી તેમનું જીવન સુખી થાય. આપણા ભગવાને જોયેલા અને કહેલા છ દ્રવ્યો કેવા છે તથા તે દરેકના મુખ્યલક્ષણ (ખાસગુણ) શું છે? કયા ભાવોથી જીવ સુખી થાય છે ને કયા ભાવોથી તે દુઃખી થાય છે? તે ઓળખવું જોઈએ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com