________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
વીતરાગવિજ્ઞાન ભાગ-૩]
[૧૦૧ ચેતના લક્ષણરૂપ જીવ; તેની પર્યાયના ત્રણ પ્રકારઃ બહિરાત્મા, અંતરાત્મા, ને પરમાત્મા તેમાં
બહિરાત્મામાં આસ્રવ તથા બંધતત્ત્વ આવી ગયા. અંતરાત્મામાં સંવર તથા નિર્જરાતત્ત્વ આવી ગયા. પરમાત્મામાં મોક્ષતત્ત્વ આવી ગયું.
આસ્રવ અને બંધમાં મિથ્યાત્વ તે મુખ્ય છે, તે ઉપરાંત અવ્રત, પ્રમાદ, કષાય ને યોગ તે પણ આસ્રવ તથા બંધ છે. બહારમાં શરીરની કિયા તે તો અજીવતત્ત્વની દશા છે, તેમાં કાંઈ જીવના આસ્રવ-બંધ કે સંવર-નિર્જરા રહેતા નથી. જીવના ઉપયોગ અને યોગની અશુદ્ધ પ્રવૃત્તિ તે આસવ છે, તે બંધ છે; ને શુદ્ધોપયોગપ્રવૃત્તિ તે સંવરનિર્જરા છે, પૂર્ણ શુદ્ધતા તે મોક્ષ છે. ભાઈ, તારી અવસ્થારૂપ આવા તત્ત્વોને તું જાણ; અને તેમાં નિમિત્તરૂપ પુગલકર્મની અવસ્થાને તારાથી ભિન્ન અજીવ તરીકે જાણ. તે તત્ત્વોને જાણીને તેમાંથી પોતાના હિતરૂપ તત્ત્વને તું ગ્રહણ કરવું અને દુઃખરૂપ તત્ત્વોને છોડ.
જુઓ, આવા તત્ત્વોનો નિર્ણય થઈ શકે એવી જ્ઞાનશક્તિ મહાભાગ્યથી અત્યારે મળી છે, તેથી તેનો નિર્ણય કરવાનું કહે છે. હિતનો અભિલાષી જીવ તેવો નિર્ણય જરૂર કરે છે. આવા ઉત્તમ સુયોગમાં પણ જેઓ તત્ત્વનિર્ણયમાં બુદ્ધિને ન જોડે અને કુમાર્ગના સેવનમાં અવસર ગુમાવી દ્ય-એમના
Please inform us of any errors on rajesh@AtmaDharma.com