________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯૬]
[ વીતરાગવિજ્ઞાન ભાગ-૩ ભિન્ન લક્ષણને જો બરાબર ઓળખે તો એ બધી ભ્રમણા મટી જાય, ને તત્ત્વનું સાચું જ્ઞાન થાય.
સર્વજ્ઞદેવે કહેલાં અતીન્દ્રિય તત્ત્વોને અંતરાત્મા શ્રદ્ધ છે, એનાથી વિપરીત શ્રદ્ધા તેને હોતી નથી. જગતમાં એક અદ્વૈત બ્રહ્મ જ સત્ છે ને બીજાં અજીવાદિ કાંઈ સત્ છે જ નહિ, અથવા કોઈ ઈશ્વર આ જગતના કર્તા-હર્તા છે, - એવા પ્રકારની વિપરીત માન્યતા સમ્યગ્દષ્ટિને વ્યવહારમાં પણ હોતી નથી; વ્યવહારમાં પણ સર્વજ્ઞદેવે કહેલાં તત્ત્વોની જ શ્રદ્ધા હોય છે. તેનું આ વર્ણન ચાલે છે, તેમાં જીવન ત્રણ પ્રકાર અને અજીવનાં પાંચ પ્રકારનું વર્ણન કર્યું. જીવ અને અજીવ પછી ત્રીજાં આસ્રવતત્ત્વ છે, તથા ચોથું બંધતત્ત્વ છે, તેમનું વર્ણન હવે કરે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com