________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
વીતરાગવિજ્ઞાન ભાગ-૩]
[૯૫ ભાવના જ્ઞાન સહિત સંયોગનું જ્ઞાન કરવું તે બરાબર છે. ભગવાને બધા દ્રવ્યોના ધર્મો સ્વાધીન પોતપોતાથી જ દેખ્યા છે, તે પ્રમાણે તેમનું સ્વરૂપ ઓળખીને સાચી તત્ત્વશ્રદ્ધા કરવી જોઈએ.
તત્ત્વશ્રદ્ધા માટે જીવ-અજીવની અત્યંત ભિન્નતાનું જ્ઞાન કરવું જરૂરી છે. જાણવાની શક્તિ જીવમાં જ છે. આ શરીર, લાકડું, જીભ, મોટર, ઘડીયાળ વગેરે પદાર્થો દેખાય છે તે બધાય અજીવ છે, તેમનામાં જાણવાની શક્તિ નથી, તે હાલ-ચાલે-બોલે ભલે છતાં તે અજીવ છે. હાલ-ચાલે માટે જીવ એવી કાંઈ જીવની વ્યાખ્યા નથી. જેનામાં ચેતના હોય તે જીવ, જે જાણે તે જીવ; અને જેનામાં ચેતના ન હોય તે અજીવ એ પ્રમાણે જીવ-અજીવની સાચી વ્યાખ્યા છે.
ઘડીયાળ ચાલે છે તો શું તે જીવ છે? ના, તે અજીવ છે. રેડિયો બોલે છે તો શું તે જીવ છે? ના, તે અજીવ છે. તેને કાંઈ ખબર નથી કે હું ઘડીયાળ છું કે હું રેડિયો છું. એને જાણનાર તો જીવ છે. સોએક વર્ષ પહેલાં જ્યારે આગગાડી શરૂ થઈ ત્યારે તેને દોડતી દેખીને કેટલાક અભણ લોકો તેને જીવ અથવા રાક્ષસ માનતા, કોઈ તેને નાળિયેર ચડાવીને પૂજતા-જુઓ ભ્રમણા! ધર્મના નામે ઘણા અજ્ઞાનીઓ પણ એવી જ ભ્રમણા સેવે છે કે શરીર હાલ-ચાલે તે બધું જીવનું કાર્ય છે, જીવ શરીરને ચલાવે છે. –પણ જીવ-અજીવના ભિન્ન
Please inform us of any errors on rajesh@AtmaDharma.com