________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
વીતરાગવિજ્ઞાન ભાગ-૩]
[૯૩ પરાધીન એવા ઈદ્રિયજ્ઞાનમાં છે, અને ત્યાં પણ જ્ઞાન તો જીવથી પોતાથી થાય છે, કાંઈ ઈદ્રિયોથી નથી થતું; અને કેવળજ્ઞાન વગેરેમાં તો ઈંદ્રિયાદિ નિમિત્ત પણ નથી. જ્ઞાનનો આધાર આત્મા છે, જ્ઞાનનો આધાર જડ ઇંદ્રિયો નથી.
કેવળજ્ઞાનમાં શેયપણે આખું જગત નિમિત્ત છે; પણ તેમાંથી કાંઈ જ્ઞાન આવતું નથી. આત્માનું જ્ઞાન કોઈ અચેતન વસ્તુમાં નથી, ને જ્ઞાનમાં કોઈ અચેતન વસ્તુ નથી; આમ જ્ઞાનને પરથી અત્યંત ભિન્ન અનુભવવું. સાતતત્ત્વનું જ્ઞાન કરતાં જડ-ચેતનની આવી ભિન્નતાનું જ્ઞાન પણ થઈ જાય છે.
અહા, મારું જ્ઞાન તો મારામાં છે, કાંઈ અજીવમાં મારું જ્ઞાન નથી. અજીવ પાસેથી કાંઈ મારું જ્ઞાન નથી આવતું. એમ સમજી જ્ઞાનને પોતાના આત્માની સન્મુખ કરતાં અપૂર્વ આનંદ અનુભવાય છે.
અહીં ધર્મ-અધર્મ વગેરે સૂક્ષ્મ દ્રવ્યોની ઓળખાણ ગતિ-સ્થિતિ વગેરેમાં નિમિત્ત થવારૂપે આપી. ધર્માસ્તિકાય પોતે સ્થિર દ્રવ્ય છે, તે કાંઈ કોઈ પદાર્થને ગતિ કરાવતું નથી, પણ-સ્વયં ગતિ કરનારા દ્રવ્યોને તે નિમિત્ત છે. તેમ જગતના કાર્યોમાં જે-જે નિમિત્ત કહેવામાં આવે છે તે બધાય નિમિત્તો પણ ધર્માસ્તિકાયની જેમ અકર્તા જ છે. એક પદાર્થ પોતાના
સ્વભાવથી જ સ્વકાર્યરૂપે પરિણમે અને તે વખતે બીજ પદાર્થ નિમિત્ત હોય, તેથી કાંઈ કોઈની પરાધીનતા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com