________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૧
ચૈતન્ય વિલાસ જ રહેતો નથી અને આત્મા કરે છે તે પણ રહેતું નથી ત્યાં એ ભાવો જ નથી તો પછી કરવાનો પ્રશ્ન જ રહેતો નથી. કૃતકૃત્ય થઈ ગયો-પૂર્ણ થઈ ગયો બસ.
વિશેષ વાત એ છે કે એને હું કરતો” તો નથી પણ એને હું જાણતો નથી. કેમકે હું કરતો નથી પણ જે અકર્તા છે એને જાણું છું એમ ન લેતાં, હું અકર્તા છું એને જ હું જાણું છું. અહીંયા વ્યવહારનય જાણેલો પ્રયોજનવાન ન રાખ્યો. વ્યવહારનય જાણેલો પ્રયોજનવાન રાખે તો પરમાર્થ પ્રતિક્રમણ આવે નહીં. અને પરમાર્થ પ્રતિક્રમણ નહીં આવે તો વ્યવહાર પ્રતિક્રમણમાં આવી જશે. છઠું ગુણસ્થાન આવે.
અહીં તો સાતમાં ગુણસ્થાન થી ઉપર શ્રેણીમાં ચઢવા માટેની પ્રક્રિયાનો ખ્યાલ કરે છે. ભલે સાતમામાંથી આઠમામાં જવાતું નથી, પણ છઠ્ઠામાંથી સાતમા માં આવવાની આ પ્રક્રિયા છે અર્થાત્ શુદ્ધોપયોગની આ પ્રક્રિયા છે. પર્યાયનાં ભેદને જાણવા જાય છે તો એને વિકલ્પ ઉત્પન્ન થાય છે. રાગી પ્રાણી હોવાથી રાગ ઉત્પન્ન થાય છે. અભેદને જાણે તો વીતરાગભાવ ઉત્પન્ન થાય-શુદ્ધોપયોગ. આ એની ઉત્તમ ગાથા છે.
આહાહા ! કરવાની શક્તિનો જ અભાવ સર્વથા. હું મારા આત્માને જ જાણું એવી શક્તિનો મારામાં સદ્ભાવ છે. હું તો મારા આત્માને જાણું છું. આહાહા ! પરને જાણવું એ વ્યવહારનો પણ નિષેધ કર્યો. પરિણામના ભેદને હું જાણનારો છું એમ પણ ન લેતાં હું અભેદનો જાણનારો છું ( અર્થાત અભેદ જાણનાર છું )
સકળ કર્તુત્વનો અભાવ કહ્યો ને!? કરવાની શક્તિનો જ આત્મામાં અભાવ છે. અને થાય એને જાણે એમ કહેવું તે વ્યવહાર છે. અને એને જાણવાનું બંધ કરી અને “છે” એને જાણું તે નિશ્ચય છે. આ નિશ્ચય પ્રતિક્રમણની બહુ ઊંચી ગાથા છે હોં ! આ ત્રણ લીટીમાં ઘણો માલ છે. આ ત્રણ લીટીમાં અકર્તાપણું સિદ્ધ કર્યું. પુદ્ગલનાં કાર્યનો કર્તા, કારયિતા, અનુમોદક હોઉં તો હું પુદ્ગલ જ થઈ જાઉં અર્થાત્ અજીવ થઈ જાઉં.
(નૈમિત્તિક ભાવમાં) અજીવ નિમિત્ત છે, પણ હું નિમિત્ત હોઉં તો અજીવ થઈ જાઉં. પુલકર્મ કરે છે અને જો હું ટેકો આપુ કે ભલે કરે તો હું પુદ્ગલ થઈ જાઉં. માટે પુદ્ગલ કરે તો ભલે કરે. આમાં પરિણામ માત્રની મહિમાને ખલાસ કરી દીધી.
પરિણામ માત્રથી ભિન્ન છે તે શ્રદ્ધાનો વિષય છે અને એમાં નિર્વિકલ્પ ધ્યાન આવે છે. બાકી બધા શાસ્ત્રોમાં અનેક પ્રકારના વ્યવહારના કથનો છે, પણ એ બધા અભૂતાર્થ વાક્યો છે.
જાણવાનો વિષય એક જ્ઞાયક બને ત્યારે ધ્યાન આવે છે. શુદ્ધોપયોગ થવા માટે આમાં જાણવાનો નિષેધ કર્યો. અગિયારમી ગાથામાં શુદ્ધોપયોગ થયો અને બારમી ગાથામાં જ્યાં
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com