________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
४८
ચૈતન્ય વિલાસ ઇન્દ્રિયજ્ઞાનનો પણ હું કર્તા નથી, તેથી ઈન્દ્રિયજ્ઞાન ઉત્પન્ન જ થતું નથી, અતીન્દ્રિયજ્ઞાન પ્રગટ થાય છે. અતીન્દ્રિયજ્ઞાનને પણ હું કરતો નથી એથી અતીન્દ્રિયજ્ઞાન સહજ અંતર્મુખ થઈને પ્રગટ થાય! કેમ કે દષ્ટિ, પર્યાય ઉપર છે જ નહીં.
“હું ભાવકર્માત્મક ચાર કષાયોને કરતો નથી, સહજ ચૈતન્યના વિલાસસ્વરૂપ આત્માને જ ભાવું છું.”
(કહે છે કે:) ભાવકર્મસ્વરૂપ જે ક્રોધ-માન-માયા-લોભ એ ચાર પ્રકારના કષાયો છે એ કષાયની વળી ચાર ચોકડી છે, તેનાં સોળભેદ છે એવા કોઈપણ પ્રકારના કષાય ભાવને હું કરતો નથી, કરાવતો નથી ને કર્તાનો અનુમોદક નથી. હું તો એક ચૈતન્યસ્વરૂપ આત્માને જ ભાવું છું. હું એને જ ભાવું છું-હું શુદ્ધાત્માની ભાવના જ કરું છું બસ !
(“અહીં ટીકામાં જેમ કર્તા વિષે વર્ણન કર્યું, તેમ કારયિતા અને અનુમંતાઅનુમોદક-વિષે પણ સમજી લેવું”). એમ સમજી લેવું, એ બધામાં જ્યાં માત્ર કર્તા નથી એમ કહ્યું છે ત્યાં તમારે કારયિતા નથી અને અનુમોદક નથી તેવો શબ્દ ઉમેરી દેવો ને એમ સમજવું.
આ રીતે પાંચ રત્નોના શોભિત કથન-વિસ્તાર દ્વારા સકળ વિભાવ૫ર્યાયોના સંન્યાસનું (-ત્યાગનું) વિધાન કહ્યું છે.”
(કહે છે) વિભાવ એટલે વિશેષભાવો, એનો સંન્યાસ એટલે ત્યાગ.
ત્યાગ એટલે કે કર્તુત્વબુદ્ધિ છોડવી એનું નામ ત્યાગ ! પર્યાયને છોડવી નથી પર્યાયનો ત્યાગ નથી કરવો, પર્યાયની કર્તુત્વબુદ્ધિનો ત્યાગ (તેનું નામ સંન્યાસ) પર્યાય તો થયા કરે, પર્યાય કાંઈ ન છૂટે, એનો કોણ ત્યાગ કરી શકે! પણ પર્યાયનો હું કર્તા છું, એવી કર્તા બુદ્ધિનો ત્યાગ થયો કે ખલાસ, એટલે જ્ઞાતા થઈ ગયો.
(હવે આ પાંચ ગાથાઓની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવ શ્લોક કહે છે”).
(શ્લોકાર્થ:-) આ પ્રમાણે પંચરત્નો દ્વારા જેણે સમસ્ત વિષયોના ગ્રહણની ચિંતાને
છોડી છે.....
(કહે છે કેઃ) આ બધા વિષયો છે, એ પર્યાયના ભેદોના વિષયો છે. એને ગ્રહણનીજાણવાની ચિંતા જેણે છોડી દીધી છે. ગ્રહણ એટલે જાણવું.
પંચરત્નો દ્વારા જેણે સમસ્ત વિષયોના. ગ્રહણની ચિંતા જેણે છોડી દીધી છે.” સમસ્ત વિષયો એટલે ઇન્દ્રિયજ્ઞાનના જે વિષયો છે, એને ગ્રહણ એટલે જાણવું ઇન્દ્રિયજ્ઞાન દ્વારા, એ બધું છોડી દીધું છે.
અને નિજ દ્રવ્ય-ગુણ-પર્યાયના સ્વરૂપમાં ચિત્તને એકાગ્ર કર્યું છે...” (શું કહે છે) નિજ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com