________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
૩૫
આત્મતત્વને ગ્રહનારા શુદ્ધદ્રવ્યાર્થિકનયના બળે મારે સફળ-મોરાગ-દ્વેષ નથી.”
મોહ-રાગ-દ્વેષ મારા સ્વભાવમાં નથી. કેમકે મારો આત્મા સત્તાસ્વરૂપ, અસ્તિત્વસ્વરૂપ છે સત્ છે અતિરૂપે મારો આત્મા છે, અને મારા આત્મામાં અનંત વીર્ય ને અનંતજ્ઞાન ને અનંતસુખ ભરેલું છે. એવો જે મારો શુદ્ધાત્મા-અનંત ગુણાત્મક મારો આત્મા જે છે એ અતિરૂપ છે ને અતિરૂપ હોવાથી એમાં અનંતજ્ઞાન, અનંત વીર્ય, અનંતદર્શન અનંત સુખ એવા જે ગુણો રહેલા છે એવો છે મારો આત્મા! શુદ્ધ આત્માની વ્યાખ્યા કરે છે, એ શુદ્ધ આત્માનું સ્વરૂપ શું છે? કે સત્તા સ્વરૂપ છે, ચૈતન્યસ્વરૂપ છે, અવબોધ એટલે જ્ઞાન (સ્વરૂપ છે) પરમ ચૈતન્ય એટલે વીર્ય (સ્વરૂપ છે) આહા....! અનંતવીર્ય, અનંતજ્ઞાન આદિ અનંતગુણસ્વરૂપ સત્તા છે, એવી સત્તાસ્વરૂપે હું રહેલો છે. એવો જે મારો શુદ્ધઆત્મા છે, એ આત્મામાં મોહ–રાગ-દ્વેષ નથી. એ પરિણામો મારા આત્મામાં નથી, એ કારણે હું એનો કર્તા, કારયિતા કે અનુમોદક નથી.
આ જે પહેલાં, પહેલો પારો (–પેરેગ્રાફ) કહ્યો, એમાં નથી, નથી એમ બધામાં આવ્યું,-મારામાં એ નથી-મને એ નથી-મારામાં એ નથી.તો એક દ્રવ્ય, બીજા દ્રવ્યમાં નથી, એ કારણે એક દ્રવ્ય, બીજા દ્રવ્યના પરિણામનો કર્તા બની શકે નહીં.
કેમકે એમાં વ્યાપે તો કરે, એક દ્રવ્ય, બીજા દ્રવ્યમાં જાય તો તો એનાં પરિણામને કરી શકે ! દ્રવ્ય પોતાની સત્તા, અસ્તિત્વ છોડે નહીં ને બીજામાં જાય નહીં એ કારણે એક દ્રવ્ય, બીજાં દ્રવ્યોના પરિણામનો કર્તા નથી. એ જ વાત અધ્યાત્મમાં અહીંયા લાગૂ પાડવી કે એક ત્રિકાળી દ્રવ્યસામાન્ય છે, વિશેષમાં જતું નથી-વ્યાપતું નથી, ફેલાતું નથી તેથી તે તેનાં પરિણામને કરતું નથી. કેમકે મારામાં નથી માટે હું એનો કર્તા નથી એ ન્યાય આપ્યો.
તો પછી એને પરિણામોને કોણ કરે છે? કે પુદ્ગલકર્મો કરો તો કરો? હું નથી કરતો, એ પછી આગળ આવશે (ટીકામાં કહેશે.)
સત્તા, અવબોધ,-અવબોધ એટલે જ્ઞાન અને સત્તા એટલે અસ્તિત્વ, પરમચૈતન્ય એટલે અનંતવીર્ય, પંડિતવીર્ય ગુણ ત્રિકાળી હાં, ચૈતન્યપણે હોં! અને સુખની અનુભૂતિમાં લીન,-(સત્તામાં) જ્ઞાન લીધું, વીર્ય લીધું ને સુખ લીધું અને અસ્તિત્વ-સત્તા સામાન્યગુણ લીધો ! ઓલા વિશેષગુણ વિશેષગુણો અનંત જેમાં રહેલા છે, એવા અસ્તિત્વસ્વભાવી મારો આત્મા છે એમાં નિશ્ચયનયથી જોવામાં આવે તો એમાં મોહ–રાગ દ્વેષનો અભાવ છે.
(શ્રોતા ) પણ ભાઈ ! અને સુખની અનુભૂતિમાં લીન એવા વિશિષ્ટ આત્મતત્ત્વને ગ્રહનારા (કહીને શું કહેવા માગે છે!)
(ઉત્તર) સુખની અનુભૂતિમાં લીન એટલે સુખમય ! અનુભૂતિ એટલે સુખનો સ્વાદ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com