________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯
ચૈતન્ય વિલાસ એવા મોક્ષની દશા પ્રગટ થાય છે. “શુદ્ધદ્રવ્યાર્થિકનયના બળે”
વિશિષ્ટ આત્મતત્ત્વને ગ્રહનારા એટલે કે વિશિષ્ટ આત્માના સ્વરૂપને ગ્રહનારાજાણનારા-ઉપાદેયપણે ગ્રહનારા શુદ્ધદ્રવ્યાર્થિકનયના બળે, આચાર્ય ભગવંતો ફરમાવે છે કે મારે, “મને સકળ મોહ-રાગ-દ્વેષ નથી.” શું કહ્યું? કે આ શુદ્ધઆત્માની સન્મુખ થઈને હું જોઉં છું તો મારા શુદ્ધઆત્મામાં સકળ-બધા પ્રકારનાં મોહ–રાગ-દ્વેષનો મારા સ્વભાવમાં અભાવ છે. એવા સ્વભાવને ગ્રહનારી શુદ્ધ પર્યાયમાં પણ મોહ–રાગ-દ્વેષનો અભાવ છે.
| સ્વભાવમાં તો ત્રિકાળઅભાવ છે. આ પરમાર્થ પ્રતિક્રમણ-ધર્મની વાત ચાલે છે, આ સામાયિક કેમ થાય ને પ્રતિક્રમણ કેમ થાય? એ શુભભાવરૂપ સામાયિક ઝેરનું ઝાડ છે. એવી સામાયિક શુભભાવરૂપ અને શુભભાવના પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન ને આલોચના શુભભાવરૂપવ્યવહાર પ્રતિક્રમણાદિ ભૂતકાળમાં મારા અને તમારા આત્માઓએ, આવા શુભભાવરૂપ સામાયિક પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન-આલોચના અનંત વાર કર્યો, અને એ કર્તા બુદ્ધિ એ શુભભાવ કરીને, એ સમયે પણ એને દુ:ખનો ભોગવટો આવ્યો, જે સમયે શુભભાવ ઉત્પન્ન થાય છે એ આકુળતામય છે એકાંત દુઃખરૂપ છે.
એવા દુઃખનો (આકુળતાનો-ઈચ્છાઓનો) અનુભવ કર્યો શુભભાવના કર્તબુદ્ધિએ શુભભાવથી અને તેમાં મિથ્યાત્વરૂપ શલ્ય હોવાથી, એ અભિપ્રાય કાયમ રાખીને જે જીવ કર્તબુદ્ધિએ પરિણમે છે એને નિશ્ચય સામાયિક એક સમય માત્ર પણ પરમાર્થ પ્રતિક્રમણ થતું નથી. તેથી એ (જીવો ) ચારગતિમાં-સંસારમાં પરિભ્રમણ કરે છે.
(કહે છે કેઃ) મારે એવા વિશિષ્ટ-ખાસ પ્રકારના કે જેમાં સત્તા, અવબોધ, પરમચૈતન્ય અને સુખથી ભરેલો મારો પરમાત્મતત્ત્વ છે. ખાસ વિશિષ્ટ પ્રકારે જે આત્માનું સ્વરૂપ છે, એમાં અંતર્મુખ થઈને જ્ઞાનને વાળી લ્ય, અંતરમાં જ્યારે પોતાના આત્માને અંતર્મુખ થઈને અનુભવે છે, ત્યારે તે અપેક્ષાએ ( આત્મ) અનુભવની પ્રધાનતાથી હું કહું છું કે “શુદ્ધદ્રવ્યાર્થિકનયના બળે મારે સકળ મોહ-રાગ-દ્વેષ નથી”-એમાં ક્રોધ-માન-માયા-લોભહાસ્ય-રતિ-અરતિ શોક-ભય-જુગુપ્તા-સ્ત્રીવેદ-પુરુષવેદ-નપુંસકવેદ આદિ બધા પરિણામ વિકાર માત્ર, વિભાવ માત્ર, પર્યાય માત્ર મારા ત્રિકાળ સ્વભાવમાં એનો અભાવ છે..... એવા આ ત્રિકાળસ્વભાવને મેં વર્તમાનમાં જાણ્યો, એ શુદ્ધદ્રવ્યાર્થિકનય દ્વારા જાણ્યો, એ દ્રવ્યાર્થિકનય કે જેમાં દ્રવ્ય ઉપાદેયપણે પ્રયોજન થયું તો એમાં તો મોહ–રાગ-દ્વેષ નથી ને પરિણામમાં પણ મોહને રાગને દ્વેષનો અભાવ થયો ને વીતરાગી પરિણામ થયા એવા વીતરાગભાવને પરમાર્થ પ્રતિક્રમણ કહેવામાં આવે છે.
હવે આગળ...(કહે છે) સહજ નિશ્ચયનયથી જુઓ આગળ વિશેષણ છે આત્માનું
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com