________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રવચન નં-૧ અશુદ્ધ પરિણામના પકારક એમાં છે ને શુદ્ધપરિણામના પકારક પણ એમાં છે, એ પરિણામ પરિણામને કરે તો કરો પણ હું તો ત્રિકાળ અકર્તા છું.
એમ અકર્તા (આત્માનું) જ્યારે લક્ષ આવે છે, ત્યારે તેનો તે આત્મા અકર્તાપણું કાયમ રાખીને, સમ્યક્ પ્રકારે કર્તા બની જાય છે વ્યવહારનયે શું કહ્યું? કે નિશ્ચયનયે અકર્તાપણું કાયમ રાખીને, એને છોડયા વિના જ્યાં આત્મા અકર્તા છે એમ દષ્ટિમાં આવ્યું ત્યાં પર્યાયનું કર્તુત્વ છૂટી જાય છે, પર્યાય ઉપરથી “લક્ષ છૂટી જાય છે પર્યાયને ફેરવવાની બુદ્ધિ છૂટી જાય છે ત્યારે પરિણામનું કર્તુત્વ દૃષ્ટિમાંથી છૂટયું ને જ્યાં અકર્તાસ્વભાવ દષ્ટિમાં આવ્યો તે જ સમયે તે અતીન્દ્રિયજ્ઞાનરૂપે પરિણમતો પરિણામી આત્મા સભ્યપ્રકારે કર્તા થઈને પરિણમે છે એથી તે જ્ઞાનથી અનન્ય હોવાથી આત્મા જ કર્તા ને આત્મા જ કર્મ થાય છે. પણ, શુદ્ધ અતીન્દ્રિયજ્ઞાનનાં પરિણામ એનું કર્મ થતું નથી, પરિણામ કર્મ થતું નથી પણ પરિણામીદ્રવ્ય કર્મ થાય છે. અપરિણામી ધ્યેય થાય છે, પરિણામી દ્રવ્ય જ્ઞાનનું શેય થઈ જાય છે. (-આમ ધ્યેયપૂર્વક શેય બને છે.)
(શ્રોતા ) અહાહા ! બહુ સરસ અપરિણામી અભેદ છે ને પરિણામી આત્મદ્રવ્ય પણ જ્ઞાન અપેક્ષાએ અભેદ છે. એમાં પરિણામ, પરિણામીનો ભેદ-સમ્યગ્દર્શન કર્મને આત્મા કર્તા એવું નથી. માટી કર્તાને ઘટની પર્યાય કર્મ, એ ભેદનું કથન છે, માટી જ કર્તા છે ને માટી જ કર્મ છે. પણ માટીને કર્તા કહેવામાં આવે ત્યારે એ પરિણામી માટી કર્તા ને પરિણામી માટી કર્મ છે. ઘડો એનું કર્મ એમ નથી.
ઝીણી વાત છે, આ બધી શાસ્ત્રમાં વાત છે ભાઈ પણ, ગુરુદેવ કહે છે કે વેપારીઓને તત્ત્વ અભ્યાસનો ટાઈમ મળતો નથી (શ્રોતા સાવ સાચી વાત છે.) (ઉતર) વેપારની આડે ટાઈમ મળતો નથી ને એમાં કંઈક નિવૃત્તિનો ટાઈમ આવે, ત્યારે (તે જીવ) બીજાની સેવામાં રોકાઈ જાય છે, અને પોતાનું ચૂકી જાય છે. આહા... હા ! કોઈ શરણ નહીં થાય.
બે ઘડી વખાણ કરશે ને માનપત્ર આપશે (શ્રોતા પરમાં જ રહ્યા કરે !) (ઉતર:) હા. પરમાં જ રહ્યા કરે! આખો દિ! બહુ વખાણ કરે કે આહા! આ ભાઈ સેવા કરે છે ! અરે ! શુદ્ધઆત્માની સેવા છોડીને, આ બાપુ તમે શું કરી રહ્યા છો? આ ફરી, ફરીને આવો અવસર મળશે નહીં! (શ્રોતા બહુ સત્ય વાત છે આ !)
આત્મા નિશ્ચયથી અકર્તા દ્રષ્ટિમાં આવે છે, ત્યારે તે આત્મા, મિથ્યાદર્શનશાનચારિત્રરૂપે વ્યવહારનયે પરિણમતો હતો, નિશ્ચયનયે તો નહોતો પરિણમતો, એ.... પરિણમનનો પલટો થઈ (ગુલાટ ખાઈ જઈ ) હવે, સમ્યક પ્રકારે એ આત્મા સમ્યગ્દર્શનશાનચારિત્રરૂપે પરિણમે છે, તો પરિણમે એને કર્તા કહીએ! અને ભેદથી નિર્મળ પર્યાયને કર્મ કહીએ.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com