________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
મૂળગાથા તિર્યંચપર્યાયને યોગ્ય માયામિશ્રિત અશુભ કર્મનો અભાવ હોવાને લીધે હું સદા તિર્યંચપર્યાયના કર્તુત્વ વિહીન છું. મનુષ્ય નામકર્મને યોગ્ય દ્રવ્યકર્મ તથા ભાવકર્મનો અભાવ હોવાને લીધે મારે મનુષ્યપર્યાય શુદ્ધનિશ્ચયથી નથી. “દેવ” એવા નામનો આધાર જે દેવપર્યાય તેને યોગ્ય સુરસ-સુગંધસ્વભાવવાળાં પુગલદ્રવ્ય ના સંબંધનો અભાવ હોવાને લીધે નિશ્ચયથી મારે દેવપર્યાય નથી.
ચૌદ ભેટવાળાં માર્ગણાસ્થાનો તથા તેટલા (ચૌદ) ભેજવાળાં જીવસ્થાનો કે ગુણસ્થાનો શુદ્ધનિશ્ચયનયથી પરમભાવસ્વભાવવાળાને (-પરમભાવ જેનો સ્વભાવ છે એવા મને) નથી.
મનુષ્ય અને તિર્યંચપર્યાયની કાયાના, વયકૃત વિકારથી (ફેરફારથી) ઉત્પન્ન થતા બાળ-યુવાન-સ્થાવર-વૃદ્ધાવસ્થાદિરૂપ અનેક સ્થૂલ-કૃશ વિવિધ ભેદો શુદ્ધનિશ્ચયનયના અભિપ્રાય મારે નથી.
સત્તા, અવબોધ, પરમચૈતન્ય અને સુખની અનુભૂતિમાં લીન એવા વિશિષ્ટ આત્મતત્ત્વને ગ્રહનારા શુદ્ધદ્રવ્યાર્થિકનયના બળે મારે સકળ મોહરાગદ્વેષ નથી.
સહજ નિશ્ચયનયથી (૧) સદા નિરાવરણસ્વરૂપ, (૨) શુદ્ધજ્ઞાનરૂપ, (૩) સહજ ચિન્શક્તિમય, (૪) સહજ દર્શનના સ્કુરણથી પરિપૂર્ણ મૂર્તિ (–જેની મૂર્તિ અર્થાત્ સ્વરૂપ સહજ દર્શનના સ્કૂરણથી પરિપૂર્ણ છે એવા) અને (૫) સ્વરૂપમાં અવિચળ સ્થિતિરૂપ સહજ યથાખ્યાત ચારિત્રવાળા એવા મને સમસ્ત સંસારકલેશના હેતુ ક્રોધ-માન-માયા લોભ નથી.
હવે, આ (ઉપરોક્ત) વિવિધ વિકલ્પોથી (ભેદોથી) ભરેલા વિભાવપર્યાયોનો નિશ્ચયથી હું કર્તા નથી, કારયિતા નથી અને પુદ્ગલકર્મરૂપ કર્તાનો (-વિભાવ-પર્યાયોના કર્તા જે પુદ્ગલકર્મો તેમનો- ) અનુમોદક નથી (એમ વર્ણવવામાં આવે છે. )
હું નારકપર્યાયને કરતો નથી, સહજ ચૈતન્યના વિલાસસ્વરૂપ આત્માને જ ભાવું છું. હું તિર્યંચપર્યાયને કરતો નથી, સહજ ચૈતન્યના વિલાસસ્વરૂપ આત્માને જ ભાવું છું. હું મનુષ્યપર્યાયને કરતો નથી, સહજ ચૈતન્યના વિલાસસ્વરૂપ આત્માને જ ભાવું છું. હું દેવપર્યાયને કરતો નથી, સહજ ચૈતન્યના વિલાસસ્વરૂપ આત્માને જ ભાવું છું.
હું ચૌદ માર્ગણાસ્થાનના ભેદોને કરતો નથી, સહજ ચૈતન્યના વિલાસસ્વરૂપ नाहं मिथ्यादृष्ट्यादिगुणस्थानभेदं कुर्वे, सहजचिद्विलासात्मकमात्मानमेव संचिंतये। नाहमेकेन्द्रियादिजीवस्थानभेदं कुर्वे, सहजचिद्विलासात्मकमात्मानमेव संचिंतये। नाहं शरीरगतबालाद्यवस्थानभेदं कुर्वे, सहजचिद्विलासात्मकमात्मानमेव संचिंतये।
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com