________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
XIV
ચૈતન્ય વિલાસ કાયબળરૂપ ભાવપ્રાણને ધારણ કરી જીવી રહ્યો છે. (૪) સુખની અનુભૂતિઃ- અનંતગુણમય ત્રિકાળી સ્વભાવને ન જાણ્યો; સુખ સ્વરૂપ
પરમાત્માનો નિષેધ કરતાં શ્વાસોશ્વાસરૂપ ખેદ પ્રાણ ધારણ કર્યા.
દરેક જીવો સ્વભાવથી જ્ઞાનમયી અવિનાશી નિરુપાધિ સ્વરૂપ છે. નિશ્ચયપ્રાણચૈતન્યપ્રાણ તે ત્રિકાળી ગુણ છે. અશુદ્ધ નિશ્ચયનયથી જીવ દશ પ્રકારના ભાવ પ્રાણથી જીવે છે. આ ભાવ પ્રાણ જીવની પર્યાયમાં છે. વ્યવહારથી જીવ દશ પ્રાણથી જીવે છે અને પુદ્ગલની પર્યાય તેમાં નિમિત્ત તરીકે છે. (૭) આ પાંચ ગાથાઓમાં એક સાથે બે ઉપચારનો નિષેધ -
પદ્મપ્રભમુનિરાજે પાંચરત્નની ગાથાઓમાં એક સાથે બેનો નિષેધ કરી નાખ્યો છે. પરિણામને કરવાનો નિષેધ ડાયરેકટ કર્યો છે અને પરિણામને જાણવાનો નિષેધ ઈનડાયરેકટ કર્યો છે.
આમ તો એકનો નિષેધ કર્યો કેઃ પરિણામને કરતો નથી તો પછી શું કરો છો? ચૈતન્યના વિલાસને ભાવું છું. હું જ્ઞાયકને જ જાણું છું તો પરને જાણવાનો નિષેધ ઓટોમેટીક આવી જ ગયો. જ્યાં ઉપયોગ જ્ઞાયકની સન્મુખતા લેતો જ પ્રગટ થયો તો શુદ્ધોપયોગ થઈ ગયો. જે વિધિ સમ્યકદર્શન માટેની છે તે જ વિધિ ચારિત્ર માટેની છે.
શ્રી સમયસાર ૩૨૦ ગાથામાં તો સંવર-નિર્જરાને જાણે છે, બારમી (૧૨) ગાથામાં સાધકને જાણેલો પ્રયોજનવાન કહ્યો. જ્યારે અહીંયા તો એ બન્ને ગાથામાં સવિકલ્પદશાનો જે વ્યવહાર ઉભો થતો નથી તેને પણ અહીં કાઢી નાખ્યો. કારણ કે અહીંયા તો પરમાર્થપ્રતિક્રમણ કેમ થાય તે વિષય હોવાથી ભેદનું જાણવું આવતું જ નથી. સીધું અભેદનું જાણવું જ થાય છે.
ગુણસ્થાનને જાણતો નથી તેમ અલગથી લખ્યું નથી જેને કરતો નથી તેને જાણતો પણ નથી. આમ એકમાં બન્ને ઉપચારનો નિષેધ આવી જ જાય છે. જે કર્તાનું કર્મ નથી તે જ્ઞાનનું જ્ઞય પણ નથી. આ ગાળામાં કર્તાના ઉપચારનો વ્યક્તપણે નિષેધ છે અને કર્તાપણાના નિષેધમાં જ અવ્યક્તપણે જ્ઞાતાના ઉપચારનો નિષેધ પણ આવી જ જાય છે. પરમાર્થ પ્રતિક્રમણે પરિણમું છું તેને અભેદપણે જાણું છું પણ વ્યવહાર પ્રતિક્રમણને જાણતો નથી. ચૈતન્યના વિલાસ સ્વરૂપ આત્માને જ ભાવું છું, એટલે કે તેના જાણનારપણે પરિણમું છું અર્થાત્ “હું તો શુદ્ધ ચૈતન્ય તત્ત્વ છું.’
(૮) ઉપચાર અને વ્યવહારમાં અંતરઉપચાર અને વ્યવહાર અને શબ્દો સમાનાર્થી હોવા છતાં પણ તેમાં અંતર છે. ઉપચાર
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com