________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬૮
પ્રવચન નં-૧૫ કરવાની શક્તિનો અભાવ છે તેનો જાણનાર છું. જાણનાર છે તેનું નામ પુરૂષાર્થ છે. આહા! લાઈન ફેર છે. હું તો જાણનાર છું.
“પ્રભુ મેં જ્ઞાયકપ કેવલ જાનહારા રે.” એ ભક્તિની ટેપ ફરીફરી ગીરનાર ઉપર ત્રણ વખત સાંભળી મને ધૂન ચડી ગઈ. પછી મેં કહ્યું આ આકાશવાણી થાય છે હોં !? બધા સાંભળજો! કેવળ-ઓનલી-ફક્ત જાણવાની શક્તિનો પૂરો સદ્ભાવ કરવાની શક્તિનો પૂરો અભાવ.
દ્રવ્યને જાણે, ગુણને જાણે, પર્યાયને જાણે, ધર્મોને જાણે, લોકાલોકને જાણે. જાણે-જાણે ને જાણે! આદિ મધ્ય, અંતમાં જાણવું છે. શક્તિમાં એ જાણવું ને વ્યક્તિમાં પણ જાણવું એકલું જાણવું...જાણવું...જાણવું છે. કેમકે જાણનારો પિંડ છે જાણવાનો સદ્ભાવ છે કરવાની શક્તિનો અભાવ છે.
મારામાં કરવાની શક્તિનો અભાવ છે તેમ જાણવું તેનું નામ પુરૂષાર્થ છે. કેમકે અકર્તા છું કરનાર નથી. કરવાનો નિષેધ કરીને જાણવાના સ્વભાવમાં ચૈતન્યનાં વિલાસ સ્વરૂપ આત્માને ભાવું છું. તેમાં ડૂબકી મારે છે–તેમાં વયો જાય છે અને તેમાં જ કરે છે. સકલ કર્તુત્વનો અભાવ દર્શાવીને સહજ ચૈતન્યના વિલાસ સ્વરૂપ આત્મામાં ડૂબી ગયો.
- જ્યારે અકર્તા આત્મા લક્ષમાં આવે છે ત્યારે જ ઉપયોગ અભિમુખ થાય છે. જીવને જ્યાં સુધી કર્તબુદ્ધિ છે ત્યાં સુધી ઉપયોગ અભિમુખ થાય જ નહીં. કેમકે આત્મામાં કરવાનો સર્વથા અભાવ છે. તેને બદલે કરવાની કલ્પનાએ ચડી ગયો છે. આહાહા ! અકર્તાને કર્તા માને તો ધર્મ ક્યાંથી થાય !! ત્રણકાળમાં ધર્મ ન થાય. જામનગર ઓડિયો કેસેટ સવારે ૮ થી ૯ પ્રવચન નં-૧૫
તા. ૧૧-૯-૮૯
નિયમસાર-અધિકાર-“પરમાર્થ પ્રતિક્રમણ”—પાંચમો અધિકાર છે (પ્રતિક્રમણ એટલે શું?) ભૂતકાળમાં લાગેલા દોષ, એનાથી પાછો ફરી શુદ્ધાત્માનો અનુભવ કરવો તેને પ્રતિક્રમણ કહેવામાં આવે છે.
અનાદિ કાળથી, જીવની બે ભૂલ ચાલી આવે છે. એક તો આ ભગવાન આત્મા જ્ઞાતા અર્થાત્ અકર્તા હોવા છતાં, પોતે પોતાની મેળે, બીજાના ઉપદેશ વિના-અન્યનાં ઉપદેશ વિના...એ પોતે પરભાવનો હું કર્તા છું એમ માને છે, પર દ્રવ્યનો હું કર્તા છું એમ માને છે. અને પરભાવ ને પરદ્રવ્યનો હું કારણ છું એમ માને છે.
ભગવાન આત્મા, પરભાવ કે પરદ્રવ્યનો કર્તા પણ નથી.. અને તેનું કારણ પણ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com