________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૬
પ્રવચન નં-૧ર પાસે કરાવતો નથી અને પુદ્ગલ નામનું કર્મ છે એ સ્વતંત્રપણે કર્તા થઈ અને ક્રોધ -માનમાયા-લોભને કરે છે અને હું અનુમોદન આપતો નથી. ક્રોધ-માન-માયા-લોભનો કરનારો પુદ્ગલ કર્મ છે એ એને કરે છે અને હું જાણવા પણ રોકાતો નથી. પણ મને ખ્યાલ આવી ગયો કે એ એને કરે છે. પછી મારું લક્ષ પુદ્ગલ ઉપર નથી પુદ્ગલની ક્રિયા ઉપર લક્ષ નથી. હું તો ચૈતન્યના વિલાસ સ્વરૂપ આત્માને – શુદ્ધાત્માને ભાવું છું. શુદ્ધાત્માને ભાવતાં શુદ્ધોપયોગ નિર્વિકલ્પ ધ્યાન આવી જાય છે. એનું નામ સર્વજ્ઞ પરમાત્મા પરમાર્થ પ્રતિક્રમણ
પરમાર્થ પ્રતિક્રમણ નવ તત્ત્વમાં સંવર-નિર્જરારૂપે છે, પણ આસ્રવ-બંધ રૂપે નથી. વ્યવહાર પ્રતિક્રમણ આસ્રવને બંધરૂપે છે. નિશ્ચય પ્રતિક્રમણ છે એ સંવરને નિર્જરારૂપે છે. એ શુદ્ધ પરિણતિ છે તે આત્માની શુદ્ધ પર્યાય છે, છતાં એ સંવર-નિર્જરાના પરિણામને પુદ્ગલ કરે છે એટલે એને હું કરતો નથી, અને સંવર-નિર્જરા જે પુદ્ગલનાં પરિણામ તેને હું જાણતો પણ નથી, હું તો એક શુદ્ધાત્માને ભાવું છું.
શુદ્ધાત્માને ભાવતાં જ પરમાર્થ પ્રતિક્રમણ થાય છે પણ એ પરિણામ ઉપર મારું લક્ષ નથી. મારું લક્ષ તો ત્રિકાળી સામાન્ય ઉપર છે, એટલે શુદ્ધોપયોગ દશા પ્રગટ થઈ જાય છે. સામાન્યને અવલોકતો વિશેષને નહીં અવલોકતો. આપણે પરદ્રવ્યનું શું કામ છે? પરદ્રવ્ય છે એની સામે જોવાનું મારે શું કામ છે, વિશેષને નહીં અવલોકતો. વિશેષનું અવલોકન કરવા જાઊં તો વ્યવહાર પ્રતિક્રમણ થાય છે અને એ દોષરૂપ છે નિશ્ચય પ્રતિક્રમણ થતું નથી. કારણ કે ભેદ છે ને એટલો, એ ભેદ ઉપર નજર જાય છે એ મારો ધર્મ નથી. હું તો ચૈતન્યના વિલાસ સ્વરૂપ આત્માને ભાવું છું. સામાન્યને અવલોકતો અને વિશેષને નહીં અવલોકતો આહાહા !
એને સર્વથા જાણવાનું બંધ કરવું? કે: “હા,” સર્વથા. સર્વથા જૈનદર્શનમાં હોય? કે કથંચિત્ હોય? જૈનદર્શનની શરૂઆત જ સર્વથાથી થાય છે. કથંચિત્ એ તો જ્ઞાનનું ફળ છે. ભેદને જાણવાનું સર્વથા બંધ કરી દેવું, અને હું કરતોતો નથી, એ પ્રશ્ન તો ઉડી ગયો. પણ એને હું જાણતો નથી. આહાહા ! હું ચૈતન્યના વિલાસ સ્વરૂપ આત્માને ભાવું છું. પાછો આ વિલાસ છે ને એ સહજ છે! અનાદિ અનંત છે. સહજજ્ઞાન-સહજદર્શન જે છે ને? એ સાહજિક છે. સમ્યક્દર્શન-જ્ઞાન-ચારિત્રના પરિણામ સહજ નથી તે કર્મકૃત છે. એને ક્યાંય સહજ કહ્યાં હોય એ જુદો વિષય છે. અત્યારે અહીંયાં પુદ્ગલ સાથે મેળવીએ તો એના જેવો આત્મા નથી, આ સહજ ચૈતન્યનો વિલાસ છે.
અહીંયા તો (ચૈતન્યના વિલાસ) એને હું ભાવું છું બસ. વિલાસ સ્વરૂપ પછી કહે છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com