________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
૧૦૫ અત્યારે તમે મનુષ્ય પર્યાય કરી છે, અને મનુષ્ય પર્યાયમાં છો. વળી ભૂતકાળમાં તમે તિર્યંચ પર્યાય કરી હતી. આહાહા! કે કોઈ કાળે “સદા કાળે તિર્યંચ પર્યાય કરી નથી. નિગોદ એ તિર્યંચનો એક ભેદ છે. એ તિર્યંચના ભેદમાં એકેન્દ્રિય પણ આવી જાય છે. (અજ્ઞાની પ્રાણીને કહે છે) કે મફતનો તું શું કામ મને આળ દે છે. નિગોદની પર્યાય તિર્યંચની હુતી ને !? એને મેં કરી નથી. કેમ ? એ અશુભ ભાવનો મારામાં અભાવ છે, માટે સદાય કર્તુત્વનો અભાવ છે. “સદા” શબ્દ વિશેષણ મૂકયું છે.
આહા ! એ ઝાઝી વખત તિર્યંચમાં રહ્યો છે માટે “સદા” શબ્દ વાપર્યો છે. તે કાયમ માટે નરકમાં નથી રહ્યો. ભૂતકાળમાં નિગોદનો કાળ અનંતો ગયો. નિગોદમાંથી માંડ કોઈ વખત ૬૦૮ જીવ બહાર નીકળે એમાં નંબર લાગી ગયો. બાકી તો નિગોદમાં કેટલાય જીવ એવા છે કે હજુ ત્રસમાં આવ્યા નથી. અને છતાં નિગોદની પર્યાય વ્યવહારે હોય છે. છતાં નિશ્ચયે એનો કરનાર નથી. તો એનો કરનાર કોણ છે? એનું કારણ કોણ છે? એ બતાવે છે.
તિર્યંચ પર્યાયને યોગ્ય માયા મિશ્રિત અશુભ કર્મ”, અશુભભાવ તો છે જ પણ સાથે માયા કપટનો ખેલ ખેલે છે એટલે આડુ શરીર છે. કપટી હોય ને કપટી એ આડોડીયો હોય એટલે આવું શરીર એને મળે છે. વર્તમાનમાં ભલે મનુષ્ય હોય પણ જો આડોડાઈ કરે કપટ કરી બીજાને છેતરે તો આયુષ્ય બંધાવાનો કાળ હોય એ વખતે તો તિર્યંચનું આયુષ્ય બંધાય છે.
તિર્યંચ પર્યાયને યોગ્ય માયા મિશ્રિત”, માયા-કપટ મિશ્રિત અશુભ પાપ ભાવ, પાપના પરિણામ એ કર્મનો અભાવ હોવાને લીધે; પર્યાયમાં સદ્દભાવ દ્રવ્યમાં તેનો અભાવ. આ કોઈ અચંબો પમાડે અને અજ્ઞાનીને ઘડીકમાં બેસે નહીં એવી વાત છે.
પર્યાયમાં પાણી સો ટકા ઊનું અને પાણી સો ટકા શીતળ. પર્યાય ઊની ત્યારે પાણી શીતળ છે. અગ્નિ ઉષ્ણ અને પાણી ઠંડું છે. વ્યવહારે પાણી ઊનું, નિશ્ચયે અગ્નિ ઉષ્ણ છે. વ્યવહારે પાણીની પર્યાય છે ને? માટે એ વ્યવહારનયનો વિષય છે. વ્યવહારથી પાણી ઉષ્ણ થયું છે, પણ નિશ્ચયન થી પાણી ઉષ્ણ થયું નથી. તો ઉષ્ણ કોણ થયું છે? કેઃ અગ્નિ. અને ઠંડું કોણ રહ્યું છે? કે: પાણી ઠંડું રહે છે અને અગ્નિ ઉષ્ણ થાય છે.
આહા ! એ પાણીની પર્યાય નિમિત્તના સંગમાં ગઈ છે ને? તો પાણીની નૈમિત્તિક પર્યાય ઉષ્ણ થઈ તો વ્યવહારે પાણી ઊનું થયું એમ કહેવામાં આવે છે. જાવ! પાણી ગરમ થઈ ગયું છે નાહી લો! એમ કહેવાય ને? વ્યવહારીજનની ભાષા વ્યવહારની હોય છે સમજી ગયા! પણ ખરેખર પાણી પોતાના નિજ સ્વભાવને છોડતું નથી. ઉષ્ણ થાય છે એ ચીજ બીજી છે. આહાહા ! એ પાણી નથી.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com