________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates હે જિનવાણી રૂપી પવિત્ર ગંગા ! તું મહાવીર ભગવાનરૂપી હિમાલય પર્વતમાંથી નીકળીને ગૌતમ ગણધરના મુખરૂપી કુંડમાં આવી છો. તું મોહરૂપી મહાન પર્વતોને ભેદીને જગતમાં અજ્ઞાન અને તાપ (દુઃખો) દૂર કરી રહી છો. સપ્તભંગીરૂપ નયોના તરંગોથી ઊછળતી રહીને જ્ઞાનરૂપી સમુદ્રમાં મળી ગઈ છો. એવી પવિત્ર જિનવાણી રૂપી ગંગાને હું મારી બુદ્ધિ અને શક્તિ અનુસાર અંજલિમાં ભરીને મસ્તક ઉપર ધારણ કરું છું. 1. આ સંસારરૂપી મંદિરમાં અજ્ઞાનરૂપી ઘોર અંધકાર છવાઈ રહ્યો છે. જો તે અજ્ઞાનાંધકારનો નાશ કરવા માટે જિનવાણી-રૂપ દીપશિખા ન હોત તો પછી તત્ત્વોનું વાસ્તવિક સ્વરૂપ કેવી રીતે જાણી શકાત? વસ્તુ સ્વરૂપ જાણ્યા વિનાનું જ રહી જાત. તેથી સંત કવિ કહે છે કે જિનવાણી ઘણો જ ઉપકાર કરનારી છે, જેની કૃપાથી આપણે તત્વનું સાચું સ્વરૂપ સમજી શક્યા. 2. હું તે જિનવાણીને વારંવાર નમસ્કાર કરું છું. પ્રશ્ન: 1. જિનવાણી-સ્તુતિની કોઈપણ ચાર લીટી અર્થ સહિત લખો. 29 Please inform us of any errors on rajesh@ AtmaDharma.com