________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પછી લગભગ સાતસો વર્ષ સુધી સતત સમવસરણ સહિત આખા ભારતમાં તેમનો વિહાર થતો રહ્યો અને તેમની દિવ્ય ધ્વનિ દ્વારા તત્ત્વનો પ્રચાર થતો રહ્યો.
અંતે ગિરનાર પર્વત ઉપરથી જ એક હજાર વર્ષનું આયુષ્ય પુરું કરીને તેઓ મુક્તિ પામ્યા. બહેન- તો ગિરનારજી “સિદ્ધક્ષેત્ર' તેથી જ કહેવાયું હશે? ભાઈ - હા, ગિરનાર પર્વત નેમિનાથ ભગવાનની નિર્વાણ-ભૂમિ જ નથી,
તપોભૂમિ પણ છે. રાજુલે પણ ત્યાં જ તપશ્ચર્યા કરી હતી અને શ્રીકૃષ્ણના પુત્ર પ્રધુમ્નકુમાર તથા શબ્નકુમાર પણ ત્યાંથી જ મોક્ષ પામ્યા હતા.
જૈન સમાજમાં શિખરજી પછી ગિરનાર સિદ્ધક્ષેત્રનું સૌથી મહત્ત્વપૂર્ણ સ્થાન છે.
પ્રશ્ન:
૧. નેમિનાથ ભગવાનનો સંક્ષિપ્ત પરિચય આપો. ૨. નેમિનાથ ભગવાનની તપોભૂમિ અને નિર્વાણ-ભૂમિનો પરિચય આપો.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com