________________
૭૬
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
બહેનશ્રીનાં વચનામૃત
નથી જતી. ‘ અહો ! આવો આશ્ચર્યકારી દ્રવ્યસ્વભાવ પ્રગટયો એટલે કે અનુભવમાં આવ્યો!' એમ જ્ઞાન જાણે, પણ દૃષ્ટિ તો શાશ્વત સ્તંભ ઉપર-દ્રવ્યસ્વભાવ ઉ૫૨જામેલી તે જામેલી જ રહે છે. ૨૧૭.
*
કોઈ એકાંતમાં વસનાર એકાંતપ્રેમી-માણસ હોય, એને પરાણે બાહ્ય કાર્યમાં જોડાવું પડે તો તે ઉપલકપણે જોડાતો દેખાય ખરો, પણ કોણ જાણે તે બહારમાં આવ્યો છે કે નહિ!! અથવા કોઈ ઘણો નબળો માણસ હોય ને એના માથે કોઈ કામનો બોજો મૂકે તો તેને કેટલું આકરું લાગે ? એવી રીતે જ્ઞાનીને જ્ઞાનધારા વર્તતી હોવાથી બહારનાં કાર્યમાં જોડાવું બોજારૂપ લાગે છે. ૨૧૮.
*
ગમે તેવી કટોકટીમાંથી પોતાનાં જ્ઞાન-ધ્યાનનો સમય ખેંચીને કાઢી લેવો. આ અમૂલ્ય જીવન ચાલ્યું જાય છે. તેને વ્યર્થ જવા ન દેવું. ૨૧૯.
*
જ્ઞાયકપરિણતિનો દૃઢ અભ્યાસ કર. શુભભાવના કર્તૃત્વમાં પણ આખા લોકનું કર્તાપણું સમાયેલું છે. ૨૨૦.
*
Please inform us of any errors on rajesh@atmadharma.com