________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
બહેનશ્રીનાં વચનામૃત
સર્વસ્વપણે ઉપાદેય માત્ર શુદ્ધોપયોગ. અંતર્મુહૂર્ત નહિ પણ શાશ્વત અંદર રહી જવું તે જ નિજ સ્વભાવ છે, તે જ કર્તવ્ય છે. ર૨૧.
મુનિઓ વારંવાર આત્માના ઉપયોગની આત્મામાં જ પ્રતિષ્ઠા કરે છે. તેમની દશા નિરાળી, પરના પ્રતિબંધ વિનાની, કેવળ જ્ઞાયકમાં પ્રતિબદ્ધ, માત્ર નિજગુણોમાં જ રમણશીલ, નિરાલંબી હોય છે. મુનિરાજ મોક્ષપંથે પ્રયાણ ચાલુ કર્યા તે પૂરાં કરે છે. ર૨૨.
શુદ્ધાત્મામાં કરવું તે જ કાર્ય છે, તે જ સર્વસ્વ છે. ઠરી જવું તે જ સર્વસ્વ છે, શુભભાવ આવે પણ તે સર્વસ્વ નથી. ૨૨૩.
અંતરાત્મા તો દિવસ ને રાત અંતરંગમાં આત્મા, આત્મા ને આત્મા-એમ કરતાં કરતાં, અંતરાત્મભાવે પરિણમતાં પરિણમતાં, પરમાત્મા થઈ જાય છે. ર૨૪.
અહો! અમોઘ-રામબાણ જેવાં-ગુવચનો! જો જીવ તૈયાર હોય તો વિભાવ તૂટી જાય છે, સ્વભાવ
Please inform us of any errors on rajesh@atmadharma.com