________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
બહેનશ્રીનાં વચનામૃત
હું' એવા ભાવે પરિણમી જાય છે, બાકી બધું કાઢી નાખે છે.
દષ્ટિ એકેય ભેદને સ્વીકારતી નથી. શાશ્વત દ્રવ્ય ઉપર ટકેલી દષ્ટિ “મને સમ્યગ્દર્શન કે કેવળજ્ઞાન થયું કે નહિ' એમ જોવા નથી બેસતી. એને-દ્રવ્યદષ્ટિવાળા જીવને-ખબર છે કે અનંત કાળમાં અનંત જીવોએ આવી રીતે દ્રવ્ય ઉપર દષ્ટિ સ્થાપીને અનંતી વિભૂતિ પ્રગટ કરી છે. દ્રવ્યદૃષ્ટિ હોય તો પછી દ્રવ્યમાં જે જે હોય તે પ્રગટ થાય જ; છતાં “મને સમ્યગ્દર્શન થયું, મને અનુભૂતિ થઈ ' એમ દષ્ટિ પર્યાયમાં ચોટી નથી જતી. તે તો પ્રારંભથી પૂર્ણતા સુધી, બધાંને કાઢી નાખી, દ્રવ્ય ઉપર જ
સ્થપાયેલી રહે છે. કોઈ પણ જાતની આશા વગર તદ્દન નિસ્પૃહુ ભાવે જ દષ્ટિ પ્રગટ થાય છે. ૨૧૬.
દ્રવ્યમાં ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય બધું હોવા છતાં કાંઈ દ્રવ્ય ને પર્યાય બન્ને સમાન કોટિનાં નથી; દ્રવ્યની કોટિ ઊંચી જ છે, પર્યાયની કોટિ નાની જ છે. દ્રવ્યદષ્ટિવાળાને અંદરમાં એટલા બધા રસકસવાળું તત્ત્વ દેખાય છે કે તેની દષ્ટિ પર્યાયમાં ચોંટતી નથી. ભલે અનુભૂતિ થાય, પણ દષ્ટિ અનુભૂતિમાં-પર્યાયમાં-ચોંટી
Please inform us of any errors on rajesh@atmadharma.com