________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
બહેનશ્રીનાં વચનામૃત
૫૯
પ્રસંગ આવે તો ઉપદેશ આપે, પણ વિકલ્પની જાળ ચાલતી નથી. ૧૮૮.
તારો દૃષ્ટિનો દોર ચૈતન્ય ઉપર બાંધી દે. પતંગ આકાશમાં ઉડાડે પણ દોર હાથમાં હોય, તેમ દષ્ટિનો દોર ચૈતન્યમાં બાંધી દે, પછી ભલે ઉપયોગ બહાર જતો હોય. અનાદિ-અનંત અભુત આત્માને-પરમ પરિણામિક ભાવરૂપ અખંડ એક ભાવને-અવલંબ, પરિપૂર્ણ આત્માનો આશ્રય કર તો પૂર્ણતા આવશે. ગુરુની વાણી પ્રબળ નિમિત્ત છે પણ સમજીને આશ્રય કરવાનો તો પોતાને જ છે. ૧૮૯.
મેં અનાદિ કાળથી બધું બહાર-બહારનું ગ્રહણ કર્યુંબહારનું જ્ઞાન કર્યું, બહારનું ધ્યાન કર્યું, બહારનું મુનિપણું લીધું, અને માની લીધું કે મેં ઘણું કર્યું. શુભભાવ કર્યા પણ દષ્ટિ પર્યાય ઉપર હતી. અગાધ શક્તિવાળો જે ચૈતન્યચક્રવર્તી તેને ન ઓળખ્યો, ન ગ્રહણ કર્યો. સામાન્યસ્વરૂપને ગ્રહણ કર્યું નહિ, વિશેષને ગ્રહ્યું. ૧૯૦.
દષ્ટિનો દોર હાથમાં રાખ. સામાન્ય સ્વરૂપને
Please inform us of any errors on rajesh@atmadharma.com