________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
KO
બહેનશ્રીનાં વચનામૃત
ગ્રહણ કર, પછી ભલે બધું જ્ઞાન થાય. એમ કરતાં કરતાં અંદર વિશેષ લીનતા થાય, સાધક દશા વધતી જાય. દેશવ્રત અને મહાવ્રત સામાન્ય સ્વરૂપના આલંબને આવે છે; મુખ્યતા નિરંતર સામાન્ય સ્વરૂપની દ્રવ્યની ોય છે. ૧૯૧.
આત્મા તો નિવૃત્તસ્વરૂપ-શાંતસ્વરૂપ છે. મુનિરાજને તેમાંથી બહાર આવવું પ્રવૃત્તિરૂપ લાગે છે. ઊંચામાં ઊંચા શુભભાવ પણ તેમને બોજારૂપ લાગે છે, જાણે કે પર્વત ઉપાડવાનો હોય. શાશ્વત આત્માની જ ઉગ્ર ધૂન લાગી છે. આત્માના પ્રચુર વસંવેદનમાંથી બહાર આવવું ગમતું નથી. ૧૯૨.
સમ્યગ્દષ્ટિ જીવ શાયકને જ્ઞાયક વડે જ પોતામાં ધારી રાખે છે, ટકાવી રાખે છે, સ્થિર રાખે છે–એવી સહજ દશા હોય છે.
સમ્યગ્દષ્ટિ જીવને તેમ જ મુનિને ભેદજ્ઞાનની પરિણતિ તો ચાલુ જ હોય છે. સમ્યગ્દષ્ટિ ગૃહસ્થને તેની દશાના પ્રમાણમાં ઉપયોગ અંતરમાં જાય છે તેમ જ બહાર આવે છે; મુનિરાજને તો ઉપયોગ બહુ ઝડપથી વારંવાર અંદર ઊતરી જાય છે. ભેદજ્ઞાનની પરિણતિ
Please inform us of any errors on rajesh@atmadharma.com