SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates બહેનશ્રીનાં વચનામૃત વિષય નથી. આત્મામાં નવીનતાઓનો ભંડાર છે. ભેદજ્ઞાનના અભ્યાસ વડે જો તે નવીનતા–અપૂર્વતા પ્રગટ ન કરી, તો મુનિપણામાં જે કરવાનું હતું તે અમે ન કર્યું. ૧૮૫. * ગૃહસ્થાશ્રમમાં વૈરાગ્ય હોય પણ મુનિરાજનો વૈરાગ્ય કોઈ જુદો જ હોય છે. મુનિરાજ તો વૈરાગ્યમહેલના શિખર ઉપરના શિખામણિ છે. ૧૮૬. * મુનિ આત્માના અભ્યાસમાં પરાયણ છે. તેઓ વારંવાર આત્મામાં જાય છે. સવિકલ્પ દશામાં પણ મુનિપણાની મર્યાદા ઓળંગીને વિશેષ બહાર જતા નથી. મર્યાદા છોડી વિશેષ બહાર જાય તો પોતાની મુનિદશા જ ન રહે. ૧૮૭. * ન બની શકે તે કાર્ય કરવાની બુદ્ધિ કરવી તે મૂર્ખતાની વાત છે. અનાદિથી જીવે એવું કર્યું છે કે ન બની શકે તે કરવાની બુદ્ધિ કરે છે અને બની શકે છે તે કરતો નથી. મુનિરાજને પરના કર્તૃત્વની બુદ્ધિ તો છૂટી ગઈ છે અને આહાર-વિહારાદિના અસ્થિરતારૂપ વિકલ્પો પણ ઘણા જ મંદ હોય છે. ઉપદેશનો Please inform us of any errors on rajesh@atmadharma.com
SR No.008217
Book TitleBahenshree na Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorChampaben
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Sermon
File Size873 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy