________________
૫૮
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
બહેનશ્રીનાં વચનામૃત
વિષય નથી. આત્મામાં નવીનતાઓનો ભંડાર છે. ભેદજ્ઞાનના અભ્યાસ વડે જો તે નવીનતા–અપૂર્વતા પ્રગટ ન કરી, તો મુનિપણામાં જે કરવાનું હતું તે અમે ન કર્યું. ૧૮૫.
*
ગૃહસ્થાશ્રમમાં વૈરાગ્ય હોય પણ મુનિરાજનો વૈરાગ્ય કોઈ જુદો જ હોય છે. મુનિરાજ તો વૈરાગ્યમહેલના શિખર ઉપરના શિખામણિ છે. ૧૮૬.
*
મુનિ આત્માના અભ્યાસમાં પરાયણ છે. તેઓ વારંવાર આત્મામાં જાય છે. સવિકલ્પ દશામાં પણ મુનિપણાની મર્યાદા ઓળંગીને વિશેષ બહાર જતા નથી. મર્યાદા છોડી વિશેષ બહાર જાય તો પોતાની મુનિદશા જ ન રહે. ૧૮૭.
*
ન બની શકે તે કાર્ય કરવાની બુદ્ધિ કરવી તે મૂર્ખતાની વાત છે. અનાદિથી જીવે એવું કર્યું છે કે ન બની શકે તે કરવાની બુદ્ધિ કરે છે અને બની શકે છે તે કરતો નથી. મુનિરાજને પરના કર્તૃત્વની બુદ્ધિ તો છૂટી ગઈ છે અને આહાર-વિહારાદિના અસ્થિરતારૂપ વિકલ્પો પણ ઘણા જ મંદ હોય છે. ઉપદેશનો
Please inform us of any errors on rajesh@atmadharma.com