________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
બહેનશ્રીનાં વચનામૃત
પ૭
તેના પરની દષ્ટિ છોડી દે; આત્મા આડંબર વિનાનો, નિર્વિકલ્પ છે, ત્યાં દષ્ટિ દે; ચૈતન્ય રમણતા વિનાના | વિકલ્પકોલાહલમાં તને થાક લાગશે, વિસામો નહિ મળે; તારું વિશ્રામગૃહ્યું છે આત્મા, તેમાં જા તો તને થાક નહિ લાગે, શાંતિ મળશે. ૧૮૩.
ચૈતન્ય તરફ વળવાનો પ્રયત્ન થતાં તેમાં જ્ઞાનની વૃદ્ધિ, દર્શનની વૃદ્ધિ, ચારિત્રની વૃદ્ધિ-સર્વવૃદ્ધિ થાય છે, અંતરમાં આવશ્યક, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન, વ્રત, તપ બધું પ્રગટે છે. બહારના ક્રિયાકાંડ તો પરમાર્થે કોલાહલ છે. શુભ ભાવ ભૂમિકા પ્રમાણે આવે છે પણ તે શાંતિનો માર્ગ નથી. સ્થિર થઈ અંદર બેસી જવું તે જ કરવાનું છે. ૧૮૪.
મુનિરાજ કહે છે:- ચેતન્ય પદાર્થ પૂર્ણતાથી ભરેલો છે. તેની અંદરમાં જવું અને આત્મસંપદાની પ્રાપ્તિ કરવી તે જ અમારો વિષય છે. ચૈતન્યમાં સ્થિર થઈ અપૂર્વતાની પ્રાપ્તિ ન કરી, અવર્ણનીય સમાધિ પ્રાપ્ત ન કરી, તો અમારો જે વિષય છે તે અમે પ્રગટ ન કર્યો. બારમાં ઉપયોગ આવે છે ત્યારે દ્રવ્યગુણપર્યાયના વિચારોમાં રોકાવું થાય છે, પણ ખરેખર તે અમારો
Please inform us of any errors on rajesh@atmadharma.com