________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
બહેનશ્રીનાં વચનામૃત
૨૯
આત્મામાં ક્રોધ-માન આદિ દેખાય તોપણ ખરેખર આત્મદ્રવ્ય તેનાથી ભિન્ન છે. વસ્તુસ્વભાવમાં મલિનતા નથી. પરમાણુ પલટીને વર્ણ-ગંધ-રસ-સ્પર્શ વિનાનો ના થાય તેમ વસ્તુસ્વભાવ બદલાતો નથી. આ તો પરથી એત્વ તોડવાની વાત છે. અંદર વાસ્તવિક પ્રવેશ કર તો છૂટું પડે. ૮૧.
“હું તો અરીસાની જેમ અત્યંત સ્વચ્છ છું; વિકલ્પની જાળથી આત્મા મલિન ન થાય; હું તો વિકલ્પથી જુદો, નિર્વિકલ્પ આનંદઘન છું એવો ને એવો પવિત્ર છું.” –એમ પોતાના સ્વભાવની જાતિને ઓળખ. વિકલ્પથી મલિન થઈ–મલિનતા માની ભ્રમણામાં છેતરાઈ ગયો છો; અરીસાની જેમ જાતિએ તો સ્વચ્છ જ છો. નિર્મળતાના ભંડારને ઓળખ તો એક પછી એક નિર્મળતાની પર્યાયનો સમૂર્વ પ્રગટશે. અંદર જ્ઞાન ને આનંદ આદિની નિર્મળતા જ ભરેલી છે. ૮૨.
અંતરમાં આત્મા મંગળસ્વરૂપ છે. આત્માનો આશ્રય કરવાથી મંગળસ્વરૂપ પર્યાયો પ્રગટશે. આત્મા જ મંગળ, ઉત્તમ અને નમસ્કાર કરવાયોગ્ય છે
Please inform us of any errors on rajesh@atmadharma.com