________________
૨૮
Version 001: remember fo check htfp://www.AtmaDharma.com for updates
બહેનશ્રીનાં વચનામૃત
આસન, સ્વરૂપ જ નિદ્રા, સ્વરૂપ જ આહાર છે; તેઓ સ્વરૂપમાં જ લીલા, સ્વરૂપમાં જ વિચરણ કરે છે. સંપૂર્ણ શ્રામણ્ય પ્રગટાવી તેઓ લીલામાત્રમાં શ્રેણી માંડી કેવળજ્ઞાન પ્રગટાવે છે. ૭૮.
*
શુદ્ધસ્વરૂપ આત્મામાં જાણે વિકાર અંદર પેસી (પ્રવેશી ) કેમ ગયા હોય તેવું દેખાય છે, પણ ભેદજ્ઞાન પ્રગટ કરતાં તેઓ જ્ઞાનરૂપી ચૈતન્ય-અરીસામાં પ્રતિબિંબરૂપ છે. જ્ઞાન-વૈરાગ્યની અચિંત્ય શક્તિથી પુરુષાર્થની ધારા પ્રગટ કર. યથાર્થ દષ્ટિ (દ્રવ્ય ઉ૫૨ દૃષ્ટિ ) કરી ઉપર આવી જા. ચૈતન્યદ્રવ્ય નિર્મળ છે. અનેક જાતનાં કર્મનાં ઉદય, સત્તા, અનુભાગ તથા કર્મનિમિત્તક વિકલ્પ વગેરે તારાથી અત્યંત જુદાં છે. ૭૯.
*
વિધિ અને નિષેધની વિકલ્પજાળને છોડ. હું બંધાયેલો છું, હું બંધાયેલ નથી-તે બધું છોડી અંદર જા, અંદર જા; નિર્વિકલ્પ થા, નિર્વિકલ્પ થા. ૮૦.
*
જેમ સ્વભાવે નિર્મળ એવા સ્ફટિકમાં લાલ-કાળા લના સંયોગે રંગ દેખાય તોપણ ખરેખર સ્ફટિક રંગાઈ ગયો નથી, તેમ સ્વભાવે નિર્મળ એવા
Please inform us of any errors on rajesh@atmadharma.com