SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ Version 001: remember fo check htfp://www.AtmaDharma.com for updates બહેનશ્રીનાં વચનામૃત –એમ યથાર્થ પ્રતીતિ કર અને તેનું જ ધ્યાન કર તો મંગળતા અને ઉત્તમતા પ્રગટશે. ૮૩. * ‘હું તો ઉદાસીન જ્ઞાતા છું' એવી નિવૃત્ત દશામાં જ શાંતિ છે. પોતે પોતાને જાણે અને પરનો અકર્તા થાય તો મોક્ષમાર્ગની ધારા પ્રગટે અને સાધદશાની શરૂઆત થાય. ૮૪. * શુદ્ધ દ્રવ્ય પરષ્ટિ દેતાં સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન પ્રગટે. તે ન પ્રગટે ત્યાં સુધી અને પછી પણ દેવ-શાસ્ત્ર-ગુરુનો મહિમા, સ્વાધ્યાય આદિ સાધન હોય છે. બાકી, જે જેમાં હોય તેમાંથી તે આવે છે, જે જેમાં ન હોય તેમાંથી તે આવતું નથી. અખંડ દ્રવ્યના આશ્રયે બધું પ્રગટે. દેવ-ગુરુ માર્ગ બતાવે, પણ સમ્યગ્દર્શન કોઈ આપી દેતું નથી. ૮૫. * અરીસામાં જેમ પ્રતિબિંબ પડે તે વખતે જ તેની નિર્મળતા હોય છે, તેમ વિભાવપરિણામ વખતે જ તારામાં નિર્મળતા ભરેલી છે. તારી દષ્ટિ ચૈતન્યની નિર્મળતાને ન જોતાં વિભાવમાં તન્મય થઈ જાય છે, તે તન્મયતા છોડ. ૮૬. Please inform us of any errors on rajesh@atmadharma.com
SR No.008217
Book TitleBahenshree na Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorChampaben
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Sermon
File Size873 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy