________________
૩૦
Version 001: remember fo check htfp://www.AtmaDharma.com for updates
બહેનશ્રીનાં વચનામૃત
–એમ યથાર્થ પ્રતીતિ કર અને તેનું જ ધ્યાન કર તો મંગળતા અને ઉત્તમતા પ્રગટશે. ૮૩.
*
‘હું તો ઉદાસીન જ્ઞાતા છું' એવી નિવૃત્ત દશામાં જ શાંતિ છે. પોતે પોતાને જાણે અને પરનો અકર્તા થાય તો મોક્ષમાર્ગની ધારા પ્રગટે અને સાધદશાની શરૂઆત થાય.
૮૪.
*
શુદ્ધ દ્રવ્ય પરષ્ટિ દેતાં સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન પ્રગટે. તે ન પ્રગટે ત્યાં સુધી અને પછી પણ દેવ-શાસ્ત્ર-ગુરુનો મહિમા, સ્વાધ્યાય આદિ સાધન હોય છે. બાકી, જે જેમાં હોય તેમાંથી તે આવે છે, જે જેમાં ન હોય તેમાંથી તે આવતું નથી. અખંડ દ્રવ્યના આશ્રયે બધું પ્રગટે. દેવ-ગુરુ માર્ગ બતાવે, પણ સમ્યગ્દર્શન કોઈ આપી દેતું નથી. ૮૫.
*
અરીસામાં જેમ પ્રતિબિંબ પડે તે વખતે જ તેની નિર્મળતા હોય છે, તેમ વિભાવપરિણામ વખતે જ તારામાં નિર્મળતા ભરેલી છે. તારી દષ્ટિ ચૈતન્યની નિર્મળતાને ન જોતાં વિભાવમાં તન્મય થઈ જાય છે, તે તન્મયતા છોડ.
૮૬.
Please inform us of any errors on rajesh@atmadharma.com