________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
બહેનશ્રીનાં વચનામૃત
ર૩
ભવ્યજીવોને તે આત્મતત્ત્વ જ એક શરણ છે. બહારમાં, પંચ પરમેષ્ઠી-અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ-નમસ્કાર કરવાયોગ્ય છે કેમ કે તેમણે આત્માની સાધના કરી છે, તેઓ મંગળરૂપ છે, તેઓ લોકમાં ઉત્તમ છે, તેઓ ભવ્યજીવોનાં શરણ છે. ૬૪.
દેવ-ગુરુની વાણી અને દેવ-શાસ્ત્ર–ગુરુનો મહિમા ચૈતન્યદેવનો મહિમા જાગૃત કરવામાં, તેના ઊંડા સંસ્કાર દઢ કરવામાં તેમ જ સ્વરૂપપ્રાપ્તિ કરવામાં નિમિત્તો છે. ૬૫.
બહારનું બધું થાય તેમાં ભક્તિ-ઉલ્લાસનાં કાર્ય થાય તેમાં પણ-કાંઈ આત્માનો આનંદ નથી. આનંદ તો તળમાંથી આવે તે જ સાચો છે. ૬૬.
દરેક પ્રસંગમાં શાંતિ, શાંતિ ને શાંતિ તે જ લાભદાયક છે. ૬૭.
પૂજ્ય ગુરુદેવની વાણી મળે તે એક અનુપમ સૌભાગ્ય છે. માર્ગ બતાવનાર ગુરુ મળ્યા અને વાણી
Please inform us of any errors on rajesh@atmadharma.com