________________
૨૨
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
બહેનશ્રીનાં વચનામૃત
જેની રુચિ-રસ હોય ત્યાં સમય ચાલ્યો જાય છે; ‘ રુચિ અનુયાયી વીર્ય'. શાયકના ઘૂંટણમાં નિરંતર રહે દિવસરાત એની પાછળ પડે, તો વસ્તુ પ્રાપ્ત થયા વિના રહે જ નહિ. ૬૧.
*
જ્ઞાયકના લક્ષે જીવ સાંભળે, ચિંતવન કરે, મંથન કરે તેને-ભલે કદાચ સમ્યગ્દર્શન ન થાય તોપણસમ્યક્ત્વસન્મુખતા થાય છે. અંદર દૃઢ સંસ્કાર પાડે, ઉપયોગ એકમાં ન ટકે તો બીજામાં ફેરવે, ઉપયોગ બારીકમાં બારીક કરે, ઉપયોગમાં સૂક્ષ્મતા કરતો કરતો, ચૈતન્યતત્ત્વને ગ્રહણ કરતો આગળ વધે, તે જીવ ક્રમે સમ્યગ્દર્શનને પ્રાપ્ત કરે છે. ૬૨.
*
જેવું બીજ વાવે તેવું વૃક્ષ થાય; આંબાનું બીજ ( ગોટલો ) વાવે તો આંબાનું ઝાડ થાય અને આકોલિયાનું બીજ વાવે તો આકોલિયાનું ઝાડ થાય. જેવું કારણ આપીએ તેવું કાર્ય થાય. સાચો પુરુષાર્થ કરીએ તો સાચું ફળ મળે જ. ૬૩.
*
અંદમાં, ચૈતન્યતત્ત્વ નમસ્કાર કરવાયોગ્ય છે; તે જ મંગળ છે, તે જ સર્વ પદાર્થમાં ઉત્તમ છે,
Please inform us of any errors on rajesh@atmadharma.com