________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
બહેનશ્રીનાં વચનામૃત
“મારું હિત કેમ થાય?', “આત્માને કઈ રીતે જાણું?” એમ લગની વધારીને પ્રયત્ન કરે તો જરૂર માર્ગ હાથ આવે. ૨.
જ્ઞાનીની પરિણતિ સહજ હોય છે. પ્રસંગે પ્રસંગે ભેદજ્ઞાનને યાદ કરીને તેમને ગોખવું નથી પડતું, પણ તેમને તો એવું સહજ પરિણમન જ થઈ ગયું હોય છે – આત્મામાં એકધારું પરિણમન વર્યા જ કરે છે. ૩.
જ્ઞાન અને વૈરાગ્ય એકબીજાને પ્રોત્સાહન આપનારાં છે. જ્ઞાન વગરનો વૈરાગ્ય તે ખરેખર વૈરાગ્ય નથી પણ રૂંધાયેલો કષાય છે. પરંતુ જ્ઞાન નહિ હોવાથી જીવ કષાયને ઓળખી શકતો નથી. જ્ઞાન પોતે માર્ગને ઓળખે છે, અને વૈરાગ્ય છે તે જ્ઞાનને કયાંય ફસાવા દેતો નથી પણ બધાથી નિસ્પૃહ અને સ્વની મોજમાં ટકાવી રાખે છે. જ્ઞાન સહિતનું જીવન નિયમથી વૈરાગ્યમય જ હોય છે. ૪.
અહો ! અશરણ સંસારમાં જન્મની સાથે મરણ જોડાયેલું જ છે. આત્માની સિદ્ધિ ન સધાય ત્યાં સુધી જન્મ-મરણનું ચક્ર ચાલ્યા જ કરવાનું. આવા
Please inform us of any errors on rajesh@atmadharma.com