________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
૧૪૦
બહેનશ્રીનાં વચનામૃત
જુદું હોય છે. બાહ્ય ક્રિયાના આધારે સાધકનું અંતર ઓળખાતું નથી. ૩૭૮.
જગતમાં સર્વોત્કૃષ્ટ ચીજ તારો આત્મા જ છે. તેમાં ચૈતન્યરસ ને આનંદ ભરેલા છે. તે ગુણમણિઓનો ભંડા૨ છે. આવા દિવ્યસ્વરૂપ આત્માની દિવ્યતાને તું ઓળખતો નથી અને ૫૨વસ્તુને મૂલ્યવાન માની તેને પ્રાપ્ત કરવા મહેનત કરી રહ્યો છે! પ૨વસ્તુ ત્રણ કાળમાં કદી કોઈની થઈ નથી, તું નકામો ભ્રમણાથી તેને પોતાની કરવા મથી રહ્યો છે અને તારું બૂરું કરી રહ્યો છે! ૩૭૯.
*
જેમ કંચનને કાટ લાગતો નથી, અગ્નિને ઊધઈ લાગતી નથી, તેમ જ્ઞાયકસ્વભાવમાં આવરણ, ઊણપ કે અશુદ્ધિ આવતી નથી. તું તેને ઓળખી તેમાં લીન થા તો તારાં સર્વ ગુણરત્નોની ચમક પ્રગટ થશે. ૩૮૦.
*
જીવ ભલે ગમે તેટલાં શાસ્ત્રો ભણે, વાદિવવાદ કરી જાણે, પ્રમાણ-નય-નિક્ષેપાદિથી વસ્તુની તર્કણા કરે, ધારણારૂપ જ્ઞાનને વિચારોમાં વિશેષ વિશેષ ફેરવે, પણ જો જ્ઞાનસ્વરૂપ આત્માના અસ્તિત્વને પકડે નહિ અને
Please inform us of any errors on rajesh@atmadharma.com