________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
બહેનશ્રીનાં વચનામૃત
૧૪૧
૧૪૧
તદ્રુપ પરિણમે નહિ, તો તે શેયનિમગ્ન રહે છે, જે જે બહારનું જાણે તેમાં તલ્લીન થઈ જાય છે, જાણે કે જ્ઞાન બહારથી આવતું હોય એવો ભાવ વેધા કરે છે. બધું ભણી ગયો, ઘણાં યુક્તિ-ન્યાય જાણ્યાં, ઘણા વિચારો કર્યા, પણ જાણનારને જાણ્યો નહિ, જ્ઞાનની મૂળ ભૂમિ નજરમાં આવી નહિ, તો તે બધું જાણ્યાનું શું ફળ? શાસ્ત્રાભ્યાસાદિનું પ્રયોજન તો જ્ઞાનસ્વરૂપ આત્માને જાણવો તે છે. ૩૮૧.
આમા ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યસ્વરૂપ છે. તે કાયમ રહીને પલટે છે. તેનું કાયમ રહેનારું સ્વરૂપ ખાલી નથી, ભરપૂર ભરેલું છે. તેમાં અનંત ગુણરત્નોના ઓરડા ભરેલા છે. તે અદ્દભુત ઋદ્ધિયુક્ત કાયમી સ્વરૂપ પર દષ્ટિ દે તો તને સંતોષ થશે કે “હું તો સદા કૃતકૃત્ય છું. તેમાં ઠરતાં તું પર્યાયે કૃતકૃત્ય થઈશ. ૩૮૨.
જ્ઞાયકસ્વભાવ આત્માનો નિર્ણય કરી, મતિશ્રુતજ્ઞાનનો ઉપયોગ જે બહારમાં જાય છે તેને અંદરમાં સમેટી લેવો, બહાર જતા ઉપયોગને જ્ઞાયકના અવલંબન વડે વારંવાર અંદરમાં સ્થિર કર્યા કરવો, તે જ શિવપુરી પહોંચવાનો રાજમાર્ગ છે. જ્ઞાયક આત્માની
Please inform us of any errors on rajesh@atmadharma.com