________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
૧૨૮
બહેનશ્રીનાં વચનામૃત
તું જ્ઞાયકસ્વરૂપ છો. બીજાં બધું તારાથી છૂટું પડયું છે, માત્ર તે તેની સાથે એકત્વબુદ્ધિ કરી છે.
“શરીર, વાણી આદિ હું નહિ, વિભાવભાવ મારું સ્વરૂપ નહિ, જેવું સિદ્ધભગવાનનું સ્વરૂપ છે તેવું જ મારું સ્વરૂપ છે' એવી યથાર્થ શ્રદ્ધા કર.
શુભ ભાવ આવશે ખરા. પણ “શુભ ભાવથી ક્રમે મુક્તિ થશે, શુભ ભાવ ચાલ્યા જાય તો બધું ચાલ્યું જશે અને હું શૂન્ય થઈ જઈશ”—એવી શ્રદ્ધા છોડ.
તું અગાધ અનંત સ્વાભાવિક શક્તિઓથી ભરેલો એક અખંડ પદાર્થ છો. તેની શ્રદ્ધા કર અને આગળ જા. અનંત તીર્થકરો વગેરે એ જ માર્ગે મુક્તિને પામ્યા છે. ૩૬૧.
જેમ અજ્ઞાનીને “શરીર તે જ હું, આ શરીર મારું' એમ સહજ રહ્યા કરે છે, ગોખવું પડતું નથી, યાદ કરવું પડતું નથી, તેમ જ્ઞાનીને “જ્ઞાયક તે જ હું, અન્ય કંઈ મારું નહિ” એવી સહજ પરિણતિ વર્યા કરે છે, ગોખવું પડતું નથી, યાદ કરવું પડતું નથી. સહજ પુરુષાર્થ વર્યા કરે છે. ૩૬૨.
Please inform us of any errors on rajesh@atmadharma.com