________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
બહેનશ્રીનાં વચનામૃત
૧૨૯
૧૨૯
મુનિરાજ આશ્ચર્યકારી નિજ ઋદ્ધિથી ભરેલા ચૈતન્યમહેલમાં નિવાસ કરે છે; ચૈતન્યલોકમાં અનંત પ્રકારનું જોવાનું છે તેનું અવલોકન કરે છે; અતીન્દ્રિયઆનંદરૂપ સ્વાદિષ્ટ અમૃતભોજનના થાળ ભરેલા છે તે ભોજન જમે છે. સમરસમય અચિંત્ય દશા છે! ૩૬૩.
ગુરુદેવે શાસ્ત્રોનાં ગહન રહસ્સો ઊકેલીને સત્ય શોધી કાઢયું ને આપણી પાસે સ્પષ્ટ રીતે મૂકયું છે. આપણે કયાંય સત્ય ગોતવા જવું પડ્યું નથી. ગુરુદેવનો પ્રતાપ કોઈ અદ્દભુત છે. “આત્મા’ શબ્દ બોલતાં શીખ્યા હોઈએ તો તે પણ ગુરુદેવના પ્રતાપે. “ચૈતન્ય છું', જ્ઞાયક છું –ઇત્યાદિ ઇત્યાદિ બધું ગુરુદેવના પ્રતાપે જ જણાયું છે. ભેદજ્ઞાનની વાત સાંભળવી દુર્લભ હતી તેને બદલે તેઓશ્રીની સાતિશય વાણી દ્વારા તે વાતના હંમેશાં ધોધ વરસે છે. ગુરુદેવ જાણે કે હાથ ઝાલીને શીખવી રહ્યા છે. પોતે પુરુષાર્થ કરી શીખી લેવા જેવું છે. અવસર ચૂકવાયોગ્ય નથી. ૩૬૪.
કાળ અનાદિ છે, જીવ અનાદિ છે, જીવે બે પ્રાપ્ત કર્યા નથી-જિનરાજસ્વામી અને સમ્યકત્વ. જિનરાજ સ્વામી મળ્યા પણ ઓળખ્યા નહિ, તેથી મળ્યા તે ન
Please inform us of any errors on rajesh@atmadharma.com