________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
૧૦૪
બહેનશ્રીનાં વચનામૃત
છે અને જ્ઞાયકપણે પરિણમી જાય છે. ૩૦૯.
*
ચૈતન્યલોક અદ્દભુત છે. તેમાં ઋદ્ધિની ન્યૂનતા નથી. રમણીયતાથી ભરેલા આ ચૈતન્યલોકમાંથી બહા૨ આવવું ગમતું નથી. જ્ઞાનની એવી તાકાત છે કે જીવ એક જ સમયમાં આ નિજ ઋદ્ધિને તથા બધાને જાણે. તે પોતાના ક્ષેત્રમાં નિવાસ કરતો જાણે છે; શ્રમ પડયા વગર, ખેદ થયા વગર જાણે છે. અંદર રહીને બધું જાણી લે છે, બહાર ડોકિયું મારવા જવું પડતું નથી. ૩૧૦.
*
વસ્તુ તો અનાદિ-અનંત છે. જે ફરતું નથી– બદલાતું નથી તેની ઉપર દષ્ટિ કરે, તેનું ધ્યાન કરે, તે પોતાની વિભૂતિનો અનુભવ કરે છે. બહારના અર્થાત્ વિભાવના આનંદ-સુખાભાસ સાથે, બહારની કોઈ વસ્તુ સાથે તેનો મેળ નથી. જે જાણે છે તેને અનુભવમાં આવે છે. તેને કોઈની ઉપમા લાગુ પડતી નથી. ૩૧૧.
*
અનાદિ કાળથી એકત્વપરિણમનમાં બધું એકમેક થઈ રહ્યું છે તેમાંથી ‘હું માત્ર જ્ઞાનસ્વરૂપ છું' એમ જુદું પડવાનું છે. ગોળિયાની જેમ જીવ વિભાવમાં
Please inform us of any errors on rajesh@atmadharma.com