________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
બહેનશ્રીનાં વચનામૃત
૧૦૫
૧૦૫.
ભેળસેળ થઈ ગયો છે. જેમ ગોસળિયાએ કાંડે બાંધેલા દોરા તરફ નજર કરી પોતાને જાદો ઓળખી લીધો, તેમ
જ્ઞાનદોરા” તરફ યથાર્થ લક્ષ કરી “હું માત્ર જ્ઞાનસ્વરૂપ છું” એમ પોતાને જાદો ઓળખી લેવાનો છે. ૩૧૨.
માર્ગ કાપવામાં સજ્જન સાથીદાર હોય તો માર્ગ સરળતાથી કપાય છે. પંચ પરમેષ્ઠી સર્વોત્કૃષ્ટ સાથીદાર છે. આ કાળે આપણને ગુરુદેવ ઉત્તમ સાથીદાર મળ્યા છે. સાથીદાર સાથે હોય, પણ માર્ગ પર ચાલી ધ્યેય સુધી પહોંચવાનું તો પોતાને જ છે. ૩૧૩.
ખંડખંડરૂપ જ્ઞાનનો ઉપયોગ પણ પરવશપણું છે. પરવશ તે દુઃખી છે; સ્વવશ તે સુખી છે. શુદ્ધ શાશ્વત ચૈતન્યતત્ત્વના આશ્રયરૂપ અવશપણાથી શાશ્વત સુખ પ્રગટ થાય છે. ૩૧૪.
દ્રવ્યદૃષ્ટિ શુદ્ધ અંત:તત્ત્વને જ અવલંબે છે. નિર્મળ પર્યાય પણ બહિ:તત્ત્વ છે, તેનું અવલંબન દ્રવ્યદૃષ્ટિમાં નથી. ૩૧૫.
Please inform us of any errors on rajesh@atmadharma.com