________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
બહેનશ્રીનાં વચનામૃત
૧૦૩
જાગતો જીવ ઊભો છે તે ક્યાં જાય? જરૂર પ્રાપ્ત થાય જ. ૩૬.
તત્ત્વનો ઉપદેશ અસિધારા જેવો છે; તદનુસાર પરિણમતાં મોહ ઊભો રહેતો નથી. ૩O૭.
દ્રવ્ય-ગુણ-પર્યાયમાં આખા બ્રહ્માંડનું તત્ત્વ આવી જાય છે. દરેક દ્રવ્ય પોતાના ગુણોમાં રહીને સ્વતંત્રપણે પોતાની પર્યાય પરિણમે છે', પર્યાય દ્રવ્યને પહોંચે છે, દ્રવ્ય પર્યાયને પહોંચે છે –આવી આવી સૂક્ષ્મતાને યથાર્થપણે ખ્યાલમાં લેતાં મોહ કયાં ઊભો રહે? ૩૦૮.
બકરાના ટોળામાં રહેતું પરાક્રમી સિંહનું બચ્ચું પોતાને બકરીનું બચ્ચું માની લે પણ સિંહને જોતાં અને તેની ગર્જના સાંભળતાં “હું તો આના જેવો સિંહ છું” એમ સમજી જાય અને સિંહપણે પરાક્રમ ફોરવે, તેમ પર અને વિભાવની વચ્ચે રહેલા આ જીવે પોતાને પર અને વિભાવરૂપ માની લીધો છે પણ જીવનું મૂળ સ્વરૂપ બતાવનાર ગુરુની વાણી સાંભળતાં તે જાગી ઊઠે છે-“હું તો જ્ઞાયક છું” એમ સમજી જાય
Please inform us of any errors on rajesh@atmadharma.com