________________
Version 001: remember fo check htfp://www.AtmaDharma.com for updates
૧૦૨
બહેનશ્રીનાં વચનામૃત
સમ્યગ્દષ્ટિને અખંડ તત્ત્વનો આશ્રય છે, અખંડ પરથી દષ્ટિ છૂટી જાય તો સાધકપણું જ ન રહે. દૃષ્ટિ તો અંદર છે. ચારિત્રમાં અપૂર્ણતા છે. તે બહાર ઊભેલો દેખાય પણ દૃષ્ટિ તો સ્વમાં જ છે. ૩૦૩.
*
ભગવાનનાં પ્રતિમા જોતાં એમ થાય કે અહો! ભગવાન કેવા ઠરી ગયા છે! કેવા સમાઈ ગયા છે! ચૈતન્યનું પ્રતિબિંબ છે! તું આવો જ છો. જેવા ભગવાન પવિત્ર છે, તેવો જ તું પવિત્ર છો, નિષ્ક્રિય છો, નિર્વિકલ્પ છો. ચૈતન્યની પાસે બધુંય પાણી ભરે છે. ૩૦૪.
*
તું તને જો; જેવો તું છો તેવો જ તું પ્રગટ થઈશ. તું મોટો દેવાધિદેવ છો. તેની પ્રગટતા માટે ઉગ્ર પુરુષાર્થ અને સૂક્ષ્મ ઉપયોગ કર. ૩૦૫.
*
રુચિનું પોષણ અને તત્ત્વનું ઘૂંટણ ચૈતન્યની સાથે વણાઈ જાય તો કાર્ય થાય જ. અનાદિના અભ્યાસથી વિભાવમાં જ પ્રેમ લાગ્યો છે તે છોડ. જેને આત્મા પોષાય છે તેને બીજાં પોષાતું નથી અને તેનાથી આત્મા ગુપ્તઅપ્રાપ્ય રહેતો નથી.
Please inform us of any errors on rajesh@atmadharma.com