________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
બહેનશ્રીનાં વચનામૃત
૮૫
અંદરમાં નક્કી કરે છે, ત્યાં અનંતી વિભૂતિ અંશે પ્રગટ થઈ જાય છે. ૨૪૫.
ચક્રરત્ન આયુધશાળામાં પ્રગટ થયું હોય પછી ચક્રવર્તી નિરાંતે બેસી ન રહે, છ ખંડ સાધવા જાય; તેમ આ ચૈતન્યચક્રવર્તી જાગ્યો, સમ્યગ્દર્શનરૂપી ચક્રરત્ન પ્રાપ્ત થયું, હવે તો અપ્રમત્ત ભાવે કેવળજ્ઞાન જ લે. ૨૪૬.
આત્મસાક્ષાત્કાર તે જ અપૂર્વ દર્શન છે. અનંત કાળમાં ન થયું હોય એવું, ચૈતન્યતત્ત્વમાં જઈને જે દિવ્ય દર્શન, તે જ અલૌકિક દર્શન છે. સિદ્ધદશા સુધીની સર્વ લબ્ધિ શુદ્ધાત્માનુભૂતિમાં જઈને મળે છે. ૨૪૭.
વિશ્વનું અદભુત તત્ત્વ તું જ છો. તેની અંદરમાં જતાં તારા અનંત ગુણોનો બગીચો ખીલી ઊઠશે. ત્યાં જ જ્ઞાન મળશે, ત્યાં જ આનંદ મળશે; ત્યાં જ વિહાર કર. અનંત કાળનો વિસામો ત્યાં જ છે. ૨૪૮.
તું અંદરમાં ઊંડો ઊંડો ઊતરી જા, તને નિજ
Please inform us of any errors on rajesh@atmadharma.com