________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
બહેનશ્રીનાં વચનામૃત
ચૈતન્યદેવની ઓથ લે, તેના શરણે જા; તારાં બધાં કર્મો તૂટીને નાશ થઈ જશે. ચક્રવર્તી રસ્તેથી નીકળે તો અપરાધી જીવો ધ્રુજી ઊઠે છે, તો આ તો ત્રણ લોકનો બાદશા–ચૈતન્યચક્રવર્તી! તેની પાસે જડ કર્મ ઊભાં જ કયાંથી રહે? ૨૪૨.
જ્ઞાયક આત્મા નિત્ય અને અભેદ છે; દષ્ટિના વિષયભૂત એવા તેના સ્વરૂપમાં અનિત્ય શુદ્ધાશુદ્ધ પર્યાયો કે ગુણભેદ કાંઈ છે જ નહિ. પ્રયોજનની સિદ્ધિ માટે એ જ પરમાર્થ-આત્મા છે. તેના જ આશ્રયે ધર્મ પ્રગટ થાય છે. ૨૪૩.
ઓહો ! આત્મા તો અનંતી વિભૂતિથી ભરેલો, અનંતા ગુણોનો રાશિ, અનંતા ગુણોનો મોટો પર્વત છે! ચારે તરફ ગુણો જ ભરેલા છે. અવગુણ એક પણ નથી. ઓહો ! આ હું? આવા આત્માનાં દર્શન માટે જીવે કદી ખરું કુતૂહલ જ કર્યું નથી. ૨૪૪.
હું મુક્ત જ છું. મારે કંઈ જોઈતું નથી. હું તો પરિપૂર્ણ દ્રવ્યને પકડીને બેઠો છું.” –આમ જ્યાં
Please inform us of any errors on rajesh@atmadharma.com