________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
બહેનશ્રીનાં વચનામૃત
જેવું નથી. કોઈ માણસ નગરનું ધ્યેય બાંધી ચાલવા માંડે તો વચ્ચે વચ્ચે ગામ, ખેતર, ઝાડ, બધું આવે, પણ તે બધું છોડતો જાય છે, તેમ સાધકને આ શુભાદિનો વ્યવહાર વચ્ચે આવે પણ સાધ્ય તો પૂર્ણ શુદ્ધાત્મા જ છે. માટે તે વ્યવહારને છોડતો પૂર્ણ શુદ્ધાત્મસ્વરૂપમાં જ પહોંચી જાય છે. ૨૩૯.
અરે જીવ! અનંત અનંત કાળ વીત્યો, તે પરનું તો કોઈ દિવસ કંઈ કર્યું જ નથી; અંદરમાં શુભાશુભ વિકલ્પો કરીને જન્મ-મરણ કર્યા. હવે અનંત ગુણોનો પિંડ એવો જે નિજ શુદ્ધાત્મા તેને બરાબર સમજી, તેમાં જ તીક્ષણ દષ્ટિ કરી, પ્રયાણ કરવું તેનું જ શ્રદ્ધાન, તેની અનુભૂતિ, તેમાં જ વિશ્રામ કર. ૨૪).
ઓહો! આ તો ભગવાન આત્મા! સર્વીગે સહજાનંદની મૂર્તિ! જ્યાંથી જુઓ ત્યાં આનંદ, આનંદ ને આનંદ. જેમ સાકરમાં સર્વાગે ગળપણ તેમ આત્મામાં સર્વાગે આનંદ. ૨૪૧.
Please inform us of any errors on rajesh@atmadharma.com