SearchBrowseAboutContactDonate
Page Preview
Page 425
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૧૨૯] [૩૯૯ આત્માનું સ્વરૂપ સમજવાના લક્ષે જ (માત્ર મોક્ષ અભિલાષ, સંસારની અંશમાત્ર ઇચ્છા નહિ) આત્માની વાસ્તવિક પ્રતીતિ કરવા ધારે તો આ કાળમાં પણ આત્મધર્મ આરાધી શકાય છે. બધાના ઘરમાં સૌએ આત્મસિદ્ધિ મોઢે કરવા જેવી છે. તથા મોક્ષમાળા જેમાં ૧૦૮ મણકારૂપ પાઠ છે તે નાનાં બાળકોએ અને વૃદ્ધોએ પણ વાંચી જવા ભલામણ છે. શ્રીમન્ને સાતમે વર્ષે તો જાતિસ્મરણ જ્ઞાનના સંસ્કાર પ્રગટયા હતા. મોક્ષમાળામાં જીવતત્ત્વની વ્યાખ્યા કરતાં બે નય ગોઠવ્યા છે: (૧) દ્રવ્યાર્થિક નય, (૨) ભાવાર્થિક નય. તે તત્ત્વબોધ પાઠમાં કહેલ છે. ઘણી નાની ઉંમરમાં જુઓ તો ખરા ! દ્રવ્યાર્થિક નય અને ભાવાર્થિક નય એમ અંદરથી વાત કાઢી છે, અને કહ્યું છે કે ભગવાને બે પ્રકારે દ્રવ્યને ઓળખાવ્યાં છે. દ્રવ્યાર્થિક અને ભાવાર્થિક એમાં કેટલી સરસ બુદ્ધિ અને સંસ્કારનો મેળ દેખાડયો છે. ભાવ અને પર્યાય એક છે. લોકોને એંશી વર્ષે પણ ખબર ન પડે કે દ્રવ્યાર્થિક નય શું અને પર્યાયાર્થિક નય શું હશે? ભાવાર્થિક નય એટલે આત્માની સમય સમયવર્તી અવસ્થા બતાવનારું જ્ઞાનનું પડખું. વિશ્વમાં છ સ્વતંત્ર દ્રવ્યો છે. તેને ઓળખાવનાર દ્રવ્યદૃષ્ટિ છે. સામાન્ય અને વિશેષ અંશને સાપેક્ષપણે બતાવે તેને નય કહે છે. શ્રીમદે સોળ વર્ષ અને પાંચ મહિને મોક્ષમાળા રચી. પછી ઉત્તરોત્તર તેમનું જીવન જોશો તો તેમાં લોકોત્તર સુગંધ જોઈ શકશો. એ બધા સંસ્કાર પૂર્વ ભવના હતા. એવા જ્ઞાની પુરુષ હયાત હતા ત્યારે તેમનો લાભ લેનાર ખાસ કોઈ નહોતું. કોઈ લાવો તો ખરા કે એ સંદેશો કેમ હશે? એક વખત તેઓ પૂર્વ જન્મના સંસ્કારના સ્મરણની ભાવના ભાવે છે કે ધન્ય તે સત્સમાગમ! પૂર્વે જે સત્સમાગમ કર્યા તે ક્ષેત્ર, તે કાળ અને ભાવ સાંભરે છે. ધન્ય એ સત્સમાગમનો આનંદ! પ્રવૃત્તિમાં બેઠા છતાં તે નિવૃત્તિ સંયોગ અને સત્સમાગમ યાદ આવે છે. આ તે એકાન્ત વનક્ષેત્રમાં બેઠા છે કે ઝવેરાતના ધંધામાં છે? ધર્માત્માને ઓળખવા માટે અંતરંગદષ્ટિ ખીલવવી જોઈએ. ધર્માત્માની અંતરની ઉજળાઈ ધર્માત્મા જ જાણે. સાધારણ જીવોના ટૂંકા ગજવડે જ્ઞાનીના મહાન હૃદયના આંક ન અંકાય. દષ્ટાંત - જેમ નિશાળે ભણનારો નવ વરસનો બાળક રવિવારનો દિવસ હોવાથી ઘેર હતો, તેનો બાપ બજારેથી આલપાકનો તાકો લાવ્યા. તે નવ વરસનો છોકરો કહે, “ બાપા ! આ તાકો કેટલા હાથ છે?” ત્યારે બાપે કહ્યું, “આ આલપાકનો તાકો પચાસ હાથ છે.” છોકરે ભરવા માંડયો તો પંચોતેર હાથ થયો. ત્યારે છોકરો કહે, “બાપા! તમારી વાત ખોટી છે, આ તાકો પંચોતેર હાથ છે.” ત્યારે બાપે કહ્યું કે, “અમારા લેવડદેવડના કામમાં તારો હાથ ન ચાલે.” ત્યારે છોકરો કહે કે, “શું હું માણસ નથી? મારો હાથ શું નથી?” જેમ વ્યવહારના માપમાં બાળકનો હાથ કામ ન આવે, તેમ ધર્માત્માના કાળજાં બાળજીવો (અજ્ઞાની) થી મપાય નહિ. પણ બાળક મટીને યોગ્ય થાય, તો પછી મેળ બેસી જાય. પૂછવા શેનો આવે? માટે જ્ઞાનીને ઓળખવા પ્રથમ તે માર્ગનો પરિચય કરવો પડશે. રુચિ વધારો, Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008216
Book TitleAtmasiddhi shastra Pravachan
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages457
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, Sermon, & Rajchandra
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy