SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૨૪] [ભગવાન શ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા કરે, ઠપકો આપે તે પણ શિષ્યના ભાગ્યની વાત છે. જેમ માતા પોતાના બાળકને ઠપકો આપે તો તેનો ડંખ-ખેદ બાળકને થતો નથી, એમ ગુરુ-શિષ્યનું જાણવું, અહીં શિષ્ય ગયા કાળની શંકાનું આલોચન કરે છે. શિષ્ય જે નિર્ણય કર્યો તેને ભૂલી જાય તેમ નથી. એ પ્રમાણે એકેક ન્યાયની ચડિયાતી દલીલ યુક્તિથી મૂકવામાં સત્ સ્વરૂપની પુષ્ટિ કરવાનો હેતુ છે. એ હેતુ, તે કારણ અને તેનું ફળ થવારૂપ કાર્ય તેને સમજવાનો શિષ્યનો પ્રયત્ન છે. માટે જેને પોતાનું સાચું હિત કરવું છે તેણે પ્રશ્ન કેમ કરવા, કેમ વિચાર કરવો અને કેમ સમજવું તેની તૈયારી રાખવી અને સમજવાનો પુરુષાર્થ કરવો. ૭) કર્તા પદ સંબંધી શિષ્યની આશંકા હવે જીવ કર્મનો કર્તા કેવી રીતે છે તે સમજવા માટે શિષ્ય શંકા રજૂ કરે છે : કર્તા જીવ ન કર્મનો, કર્મ જ કર્તા કર્મ; અથવા સહજ સ્વભાવ કાં, કર્મ જીવનો ધર્મ. ૭૧ લોકોને આ કર્તાકર્મમાં ઘણી મૂંઝવણ છે. જીવને કર્મનો કર્તા કહેવામાં શું દોષ આવે છે તથા કઈ દૃષ્ટિએ કર્તા કહેવામાં આવે છે તેનો ખુલાસો આગળ આવશે. આ યથાર્થ સમજાય ઘણો ઉકેલ થાય છે અને બધી મૂંઝવણ ટળી જાય છે. અહીં શિષ્ય કહે છે કે હે ગુરુ! આત્મા કર્મનો કર્તા નથી. કર્મનો કર્તા કર્મ લાગે છે જીવ તો અરૂપી છે, તે રૂપી પદાર્થનું કાર્ય કેમ કરી શકે? ઉત્તર :- કર્તાનું ઇષ્ટ તે કર્મ. આત્માનું કર્મ અથવા કાર્ય ત્રણ પ્રકારે છે. એક તો આત્માનો સ્વભાવ-સ્વલક્ષણ જ્ઞાન છે. તે જ્ઞાનમાં સુખ છે. એમ રુચિ થઈ તે જ્ઞાનની રુચિવાળો જ્ઞાનમાં તન્મય થઈને જ્ઞાનક્રિયા-જાણવું, દેખવું કરે છે. બીજાં કાંઈ કરતો નથી. પોતાનું કર્તુત્વ પોતાના જ્ઞાનગુણની અવસ્થામાં છે. (દોહો) કર્તા પરિણામી દ્રવ્ય, કર્મરૂપ પરિણામ; ક્રિયા પર્યાયકી ફેરની, વસ્તુ એક ત્રય નામ. (સમયસાર નાટક.). કર્તા તેને કહીએ જે સ્વતંત્રપણે પોતાનું કાર્ય કરે, કર્તાનું ઇષ્ટ તે કર્મ, કર્તા વડે જે કાર્ય થયું તે તેનું કર્મ છે. જ્ઞાનમાં જ્ઞાનનું કાર્ય છે એમ પોષણ (રુચિ) થયું તો તે ઈષ્ટ કર્મ થયું. (૧) જ્ઞાનીનું ઇષ્ટ કાર્ય-જ્ઞાન એટલે પોતાનું સાચું હિત. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008216
Book TitleAtmasiddhi shastra Pravachan
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages457
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, Sermon, & Rajchandra
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy