________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૧૪] છૂટશે નહિ. માટે તમે જ્ઞાન કરો. આ તેઓશ્રીના ઉપદેશનો પ્રધાન સૂર છે. જ્યારે કોઈ શ્રોતાઓ કહે કે, “પ્રભુ! આપ તો મેટ્રિકની ને એમ. એ. ની વાત કરો છો, અમે હજુ એકડિયામાં છીએ, અમને એકડિયાની વાત સંભળાવો. ત્યારે ગુરુદેવ કહે છે, “આ જૈનધર્મનો એકડો જ છે. સમજણ કરવી તે જ શરૂઆત છે. મેટ્રિકની ને એમ. એ. ની એટલે કે નિર્ચથદશાની ને વિતરાગની વાતો આવી છે. આ સમજણ કર્યે જ છૂટકો છે. એક ભવે, બે ભવે, પાંચ ભવે, કે અનંત ભવે આ સમયે જ મોક્ષમાર્ગની શરૂઆત થવાની છે.”
પરમ પૂજ્ય મહારાજશ્રીના જ્ઞાનને સમ્યકપણાની મહોર તો ઘણા વખતથી પડી હતી. તે સમ્યજ્ઞાન સોનગઢના વિશેષ નિવૃત્તિવાળા સ્થળમાં અદ્ભુત સૂક્ષ્મતાને પામ્યું. નવી નવી જ્ઞાનશૈલી સોનગઢમાં ખૂબ ખીલી. અમૃતકળશમાં જેમ અમૃત ઘોળાતાં હોય તેમ ગુરુદેવના પરમ પવિત્ર અમૃતકળશસ્વરૂપ આત્મામાં તીર્થકર દેવનાં વચનામૃતો ખૂબ ઘોળાયાં-ઘૂંટાયાં. એ ચૂંટાયેલાં અમૃત કૃપાળુદેવ અનેક મુમુક્ષુઓને પીરસે છે ને ન્યાલ કરે છે. સમયસાર, પ્રવચનસાર, નિયમસાર, પંચાસ્તિકાય, અષ્ટપાહુડ, પરમાત્મપ્રકાશ, મોક્ષમાર્ગ પ્રકાશક વગેરે ગ્રંથો પર પ્રવચન કરતાં ગુરુદેવના શબ્દ શબ્દ એટલી ગહનતા સૂક્ષ્મતા અને નવીનતા નીકળે છે કે શ્રોતાજનોના ઉપયોગને પણ સૂક્ષ્મ બનાવે છે અને વિદ્વાનોને આશ્ચર્યચક્તિ કરે છે. જે અનંત આનંદમય ચૈતન્યન દશા પ્રાપ્ત કરીને સર્વજ્ઞ તીર્થંકરદેવે શાસ્ત્રો પ્રરૂપ્યાં, તે પરમ પવિત્ર દશાનો સુધાઅંદી સ્વાનુભૂતિસ્વરૂપ પવિત્ર અંશ પોતાના આત્મામાં પ્રગટ કરીને સદ્ગુરુદેવ વિકસિત જ્ઞાનપર્યાય દ્વારા શાસ્ત્રોમાં રહેલાં ગહન રહસ્યો ઉકેલી, મુમુક્ષુને સમજાવી અપાર ઉપકાર કરી રહ્યા છે. સેંકડો શાસ્ત્રોના અભ્યાસી વિદ્વાનો પણ ગુરુદેવની વાણી સાંભળી ઉલ્લાસ આવી જતાં કહે છે: ગુરુદેવ! અપૂર્વ આપનાં વચનામૃત છે; તેનું શ્રવણ કરતાં અમને તૃતિ જ થતી નથી. આપ ગમે તે વાત સમજાવો તેમાંથી અમને નવું નવું જ જાણવાનું મળે છે. નવ તત્ત્વનું સ્વરૂપ કે ઉત્પાદવ્યય-ધ્રૌવ્યનું સ્વરૂપ, સ્યાદ્વાદનું સ્વરૂપ કે સમ્યકત્વનું સ્વરૂપ, નિશ્ચય-વ્યવહારનું સ્વરૂપ કે વ્રતનિયમ–તપનું સ્વરૂપ, ઉપાદાન-નિમિત્તનું સ્વરૂપ કે સાધ્ય-સાધનનું સ્વરૂપ, દ્રવ્યાનુયોગનું સ્વરૂપ કે ચરણાનુયોગનું સ્વરૂપ, ગુણસ્થાનનું સ્વરૂપ કે બાધક-સાધકભાવનું સ્વરૂપ, મુનિદશાનું સ્વરૂપ, કે કેવળજ્ઞાનનું સ્વરૂપ-જે જે વિષયનું સ્વરૂપ આપના મુખે અમે સાંભળીએ છીએ તેમાં અમને અપૂર્વભાવો દૃષ્ટિગોચર થાય છે. અમે શાસ્ત્રોમાંથી કાઢેલા અર્થો તદ્દન ઢીલા, જડ-ચેતનના ભેળસેળવાળા, શુભને શુદ્ધમાં ખતવનારા, સંસારભાવને પોષનારા, વિપરીત અને ન્યાયવિરુદ્ધ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com