SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ ૫O Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પ્રવચન નં. ૪ પરિપૂર્ણ છે. સમ્યફ એકાંત પૂર્વ અનેકાન્તની સિદ્ધિ કરી. (સામાન્ય) દ્રવ્યનો આશ્રય કર્યો તેથી દ્રવ્ય જ જણાય છે અને પર્યાયમાં આનંદ આવ્યો તે જણાતો જ નથી-તે કેવળી જાણે તેમ ન હોય. દ્રવ્ય-પર્યાય બન્ને યુગપ એક સમયમાં પોતાને જણાય છે. પર્યાયને જાણે છે એમ નહીં, તે પર્યાયને જાણવા જતો નથી. પર્યાય સહેજે જણાય જાય તેવી સ્થિતિ છે. બારમી ગાથામાં જાણેલો પ્રયોજનવાન છે. તેનો અર્થ કર્યો કે “જણાયેલો પ્રયોજનવાન.' સોગાનીજીએ એમ કહ્યું કે- “પરિણામ જનીત જાતા હૈ” પરિણામ જણાય જ જાય છે-એટલે તેનું લક્ષ નથી. પર્યાયના આશ્રયપૂર્વક પર્યાય ન જણાય, અને દ્રવ્ય તો દ્રવ્યના આશ્રયપૂર્વક જ જણાય. દ્રવ્યનું અવલંબન ત્યે ત્યારે દ્રવ્ય જણાય અને પર્યાય તો (પર્યાયના) અવલંબન વિના જણાય-એ રહસ્ય છે. દ્રવ્યની સન્મુખ થયેલું જ્ઞાન દ્રવ્યને તો ઉપાદેયપણે જાણે જ છે પણ જે પર્યાય પ્રગટ થાય તેને ઉપેક્ષાપણે જાણે છે. -એટલે પર્યાય જણાય જ જાયછે. હવે આચાર્ય શુદ્ધનયને પ્રધાન કરી નિશ્ચય સમ્યકત્વનું સ્વરૂપ કહે છે. વ્યવહાર સમ્યકત્વનો વિષય નવ તત્ત્વ, દેવ-ગુરુ-શાસ્ત્ર તે તો હજારો જગ્યાએ છે. પણ સમ્યકત્વ શું છે અને તેનો વિષય શું? એ તો દ્રવ્યાનુયોગના કોઈ કોઈ શાસ્ત્રમાં હોય છે. એટલે હવે આચાર્ય ભગવંત શુદ્ધનયને મુખ્ય કરે એટલે વ્યવહારનય ગૌણ થઈ જાય છે. એક મુખ્ય અને બીજું ગૌણ થઈ જાય. “શુદ્ધનયને મુખ્ય કરી નિશ્ચય સમ્યકત્વનું સ્વરૂપ કહે છે” –એટલે આત્માનો અનુભવ એનું નામ સમ્યકદર્શન છે. “અશુદ્ધનયની પ્રધાનતામાં” વ્યવહારનયની પ્રધાનતામાં “ જીવાદિ તત્ત્વોના શ્રદ્ધાનને સમ્યકત્વ કહ્યું છે.” સર્વજ્ઞ ભગવાનના આગમમાં કહ્યું છે કે-નવ તત્ત્વનું શ્રદ્ધાન તે સમ્યકત્વ છે પણ એ સમ્યક્દર્શન સાચું નથી. વ્યવહાર છે, વિકલ્પ છે, રાગ છે. તે નવ તત્વ સંબંધીનો રાગ છે–વીતરાગભાવ નથી. “જીવાદિ તત્ત્વોના શ્રદ્ધાનને સમ્યકત્વ કહ્યું છે.” એમ શુદ્ધનયથી નિશ્ચય સમ્યકત્વનું સ્વરૂપ અહીંયા કહેવામાં આવે છે. અને અશુદ્ધનયની પ્રધાનતાથી જીવાદિ તત્ત્વોના શ્રદ્ધાનને સમ્યકત્વ કહ્યું છે. અહીં એ જીવાદિ તત્ત્વોને શુદ્ધનય વડે જાણવાથી સમ્યકત્વ થાય છે એમ કહે છે.” જુઓ ! આ તેરમી ગાથાની પીઠિકા લખે છે. અહીં શુદ્ધાત્માને શુદ્ધનય વડે જાણવાથી સમ્યકત્વ થાય છે એમ લખ્યું નથી. “નવ તત્ત્વને શુદ્ધનય વડ જાણવાથી...' (પ્રશ્ન) સાહેબ! એક બાજુ એમ કહો છો કે શુદ્ધાત્માને આશ્રયે, શુદ્ધાત્માને જાણવાથી સમ્યકત્વ થાય. અને હવે આપ એમ કહો છો કે-નવ તત્ત્વોને વ્યવહારનયથી નહીં પણ શુદ્ધનયથી જાણતાં સમ્યકત્વ થાય. આ તેરમી ગાથા અલૌકિક છે. આપણે બે વાત કરી. “શુદ્ધનયને પ્રધાન કરી નિશ્ચય સમ્યકત્વ કહે છે. અશુદ્ધનયની પ્રધાનતામાં જીવાદિ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008214
Book TitleAtmajyoti
Original Sutra AuthorN/A
AuthorLalchandra Pandit
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year2001
Total Pages347
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Sermon
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy