________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬
પ્રવચન નં. ૧ સદભાવને નિમિત્ત કહેવાય ને અભાવને પણ નિમિત્ત કહેવાય...આ પ્રશ્ન ઊઠ્યો તો ઘણાં વરસ પહેલાં...એ શાસ્ત્રમાં છે. લ્યો ! એ સંવરની વાત થઈ. સંવર એટલે શુદ્ધ આત્માની ઉપલબ્ધિ. શુદ્ધઆત્માનો અનુભવ-પ્રત્યક્ષ, એનું નામ સંવર છે. સંવરને ભૂતાર્થનયથી જોતાં આત્મા એનો કર્તા નથી–સંવરની પર્યાયનો કર્તા પર્યાય છે, પરિણામશક્તિથી સંવર થયો છે. સંવર એટલે શુદ્ધિની પ્રગટતા..નિર્જરા એટલે શુદ્ધિની વૃદ્ધિ...સંવર એટલે શુદ્ધિની પ્રગટતાશુદ્ધઆત્માની ઉપલબ્ધિ-શુદ્ધપર્યાયનો ઉત્પાદ એનું નામ સંવર, સંવર કરનાર કોણ? કે કર્મનો અનુદય...એ નિમિત્ત-નૈમિત્તિક સંબંધથી બતાવ્યું છે.
“નિર્જરવા યોગ્ય અને નિર્જરા કરનાર”-( એ બન્ને નિર્જરા છે.) શુદ્ધિની વૃદ્ધિ થવાયોગ્ય થાય છે, આત્મા શુદ્ધિની વૃદ્ધિનો કરનાર નથી. ત્યારે એ નિર્જરાને કોણ કરે છે? કે જૂના કર્મની નિર્જરા થાય છે ઈ એનો કરનાર છે. હવે આંહીયા (જીવની પર્યાયમાં) શુદ્ધની વૃદ્ધિ થાય છે ત્યારે ત્યાં કર્મની નિર્જરા થઈ જાય છે કર્મનો એમાં ઉદય લાગૂ પડતો નથી તેથી ત્યાં નિર્જરાને આંહીં પણ નિર્જરા..આખો નિમિત્ત-નૈમિત્તિક સંબંધ તૂટી જાય છે. તથા પ્રકારનો જેટલા પ્રકારમાં આંહી (ભાવ) નિર્જરા થાય તેટલા પ્રકારે ત્યાં દ્રવ્યકર્મની નિર્જરા થાય છે–એને કરનાર કહેવામાં આવે છે–આત્મા કરનાર નથી. ઉપાદાનપણે કર્તા નથી ને નિમિત્તપણે પણ કર્તા નથી. ઉપાદાન કર્તા ક્ષણિક ઉપાદાન-પર્યાય ને નિમિત્ત કર્તા, જૂનાં કર્મનો ઉદય અનુદય, બસ ! આહાહા! નિર્જરવા યોગ્ય અને નિર્જરા કરનાર-એ બને નિર્જરા છે.
(અહીં હવે કહે છે) “બંધાવા યોગ્ય અને બંધન કરનાર” (એ બન્ને બંધ છે.) જરા અટકે છે ને ભાવ બંધ છે ને ભાવબંધ એની સામે દ્રવ્યબંધ-એ જે ભાવબંધ થયો છે એ તો ઉપાદાન કારણ પણ એનું નિમિત્ત કારણ કોણ...? કર્મનો ઉદય...જૂનાં કર્મનો ઉદય. ઉદયનું કાર્ય છે ભાવબંધ. ઈ અસ્થિરતા નો ભાવબંધ છે આ.ભાવબંધ છે ને ઈ અસ્થિરતાનો છે... સમ્યક્દષ્ટિને...અસ્થિરતાનો (ભાવબંધ) હોય છે. કેમ કે સંવર-નિર્જરા હોય અને પૂર્ણમોક્ષ ન થાય ત્યારે થોડો (અસ્થિરતાનો ) બંધ હોય તો જ સંવર-નિર્જરાની સિદ્ધિ થાય અને ત્યારે મોક્ષ થતો નથી એવું જ્ઞાન પણ થાય-બંધ છે માટે મોક્ષનો સદ્ભાવ નથી એમ, બંધનો સર્વથા અભાવ થાય તો મોક્ષ થાય એમ, એ ન્યાય છે. તો બંધન થવા યોગ્ય પર્યાયનો, એટલો ભાવબંધ છે. જેથી યથાખ્યાતચારિત્ર ન થતું હોય, ને રાગ ઉત્પન્ન થયો એનું નામ ભાવબંધ છે. યથાખ્યાતચારિત્ર થાય, તો ભાવમોક્ષ કહેવાય. આ (પૂર્ણ) ભાવમોક્ષ ન થાય ત્યાં સુધી ભાવબંધ હોય જ.
| સર્વથા ભાવબંધ મિથ્યાદષ્ટિને હોય છે, સાધકને અંશે ભાવબંધ છે, અંશે મોક્ષ છે. (સાધકને) જ્ઞાનધારા અને કર્મધારા બેય સાથે-સાથે (વર્ત) છે ને! “બંધાવાયોગ્ય અને બંધન કરનાર-એ બન્ને બંધ છે”-ભાવબંધ અને દ્રવ્યબંધ એ બધાંય જૂનાં (કર્મની) હારે, નવાની હારે કાંઈ લાગુ પડતું નથી.
અને.... “મોક્ષ થવા યોગ્ય અને મોક્ષ કરનાર” મોક્ષનો કરનાર આત્મા નથી.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com