________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મજ્યોતિ
૨૯૭ એકતા કરે તો મિથ્યાત્વ ઉભું થાય છે.
આહા! દષ્ટિ અપેક્ષાએ, સ્વભાવથી જ ઉત્પાદું વ્યયથી ભિન્નતા છે. હવે જ્યારે દષ્ટિ પ્રગટ થાય ત્યારે અનુભૂતિથી સહિત છે તેવું પણ જ્ઞાન થાય છે.
પંડિતજીએ પ્રવચનમાં કહ્યું હતું કે-રાગથી આત્મા સર્વથા ભિન્ન છે. અને અનંતગુણથી સર્વથા અભિન્ન છે. બન્નેમાં સર્વથા' લેવું. પછી શું કરવું!? કે-રાગથી મારો આત્મા સર્વથા ભિન્ન છે એમ જ્યાં દષ્ટિમાં આવ્યું, ત્યાં નિર્મળ પર્યાયથી કથંચિત્ ભિન્ન કથંચિત્ અભિન્ન થાય છે. રહિતપૂર્વક સહિતનું જ્ઞાન થાય થાય ને થાય જ છે. જો સહિતનું જ્ઞાન નથી તો મિથ્યાદષ્ટિ-સાંખ્યમતી છે. અને રહિતના શ્રદ્ધાનમાં ન આવે અને સહિતમાં રોકાય જાય તો તે અજૈન છે-મિથ્યાષ્ટિ છે. આ બહુ સૂક્ષ્મ વાત છે.
નવ તત્ત્વને ભૂતાર્થનયથી જાણ તું. મારાથી થાય છે અને હું તેને કરું છું તે રહેવા દે! હવે એકવાર પરિણામને જાણવાનું બંધ કરી દે! જો તું એ પર્યાયને જાણવા રોકાઈશ તો પર્યાયમાં આત્મબુદ્ધિ થયા વિના રહેશે નહીં–કેમકે જાણેલાનું શ્રદ્ધાન થઈ જશે. મોક્ષમાર્ગ પ્રકાશકમાં કહ્યું છે કે-ઈન્દ્રિયજ્ઞાન જેને જાણે છે તેમાં મમતા કર્યા વગર રહેતું નથી ઈન્દ્રિયજ્ઞાન એકતા કરે છે. ભાવઈન્દ્રિયમાં ભેદજ્ઞાન કરવાની શક્તિનો અભાવ છે. એ તો જે આત્મજ્ઞાન પ્રગટ થાય છે તે જ ઈન્દ્રિયજ્ઞાનથી તેમજ રાગાદિથી ભિન્ન આત્માનો અનુભવ કરે છે. માટે પર્યાયને એકવાર જાણવાનું બંધ કરી દે! એકવાર જાણીશ તો પોતાનું માની લઈશ. અનુભવ પછી પર્યાય જણાય તેને વ્યવહાર કહેવામાં આવે છે. તે પણ પર્યાયના લક્ષ પર્યાયનું જ્ઞાન થતું નથી. “પર લક્ષ અભાવાત્ ચંચલતા રહિતમ્ અચલમ્ જ્ઞાનમ્”
- ભૂતાર્થનયથી જાણેલ સમ્યકત્વ જ છે–તે નિયમ કહ્યો. તેમાં મૂળમાં કુંદકુંદાચાર્ય ભગવાને જે વાત કહી તેને ટીકાકારે એક લીટીમાં મૂકી દીધી. અભૂતાર્થનયે નવને જાણવા તેમ મૂળમાં હતું નહીં, પણ ટીકાકારની એ વિશેષતા છે કે જ્યાં નિશ્ચયની વાત હોય ત્યાં સાથે સાથે વ્યવહારની વાત બતાવે. જ્યાં આચાર્ય ભગવાન વ્યવહારની વાત કરે ત્યાં તે નિશ્ચયની વાત પણ બતાવતા જાય. આમ આ સર્વાંગી શાસ્ત્ર છે. આમાં ક્યાંય એકાંતનો દોષ લાગે તેમ છે નહીં. હવે આચાર્ય ભગવાન વ્યવહારની વાત કરે છે.
તીર્થની પ્રવૃત્તિ અર્થે અભૂતાર્થનથી” , અભૂતાર્થનથી એટલે વ્યવહારનયથી કહેવામાં આવે છે તેવા આ નવ તત્ત્વો-પર્યાયની સાથે આત્માનો સંબંધ રાખો તો વ્યવહારનય થઈ જાય છે. પર્યાયથી રહિત જાણો તો નિશ્ચય થાય છે. દ્રવ્યનો પણ નિશ્ચય થાય છે અને પર્યાયનો પણ નિશ્ચય થાય છે.
દ્રવ્યનો નિશ્ચય શું થયો કે-પર્યાયમાત્રથી મારો આત્મા ભિન્ન છે-તે દ્રવ્યનો નિશ્ચય કહેવાય-દષ્ટિનો વિષય કહેવાય. પર્યાયનો નિશ્ચય શું!? જ્ઞાનની પર્યાય જે ભેદને જાણવા રોકાતી હતી અને પરને જાણવા જતી હતી–તે જ્ઞાનની પર્યાયનો વ્યવહાર હતો. તે જ્ઞાનની પર્યાય પરને જાણવાનું બંધ કરી, ભેદને જાણવાનું બંધ કરી, રાગને જાણવાનું બંધ કરી; તે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com